SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના બની ગયા. પછી તો કર્મસત્તા પણ આપણને સુખ આપવા અને ખરાબ સ્થિતિમાં નહિ રાખવા બંધાએલી છે. “સંસારનું સુખ તજવા જેવું જ છે, એક મોક્ષસુખ જ મેળવવા જેવું છે અને હું જે કાંઈ કરું તે મોક્ષસુખને મેળવવા માટે જ કરું-આટલી પણ જિનવાણી જો ઝિલાઈ જાય, તો પણ સંસારમાં બાદશાહની માફક જીવવાનું થઈ જાય. તો પછી અનાદિ કાળથી જે કર્મસત્તા ગોદા માર્યા કરે છે, તે આપણી સંભાળ રાખતી થઈ જાય. સભાઃ સમકિત પામ્યા પહેલાં આવો ભાવ કેમ આવે? ' સમક્તિ પામ્યા પહેલાં આવા તો ઘણા ભાવો આવી શકે છે. સમકિત તો ઘણા પુરુષાર્થે આવે. મોક્ષનો આશય એટલે મોક્ષના આશયથી ધમક્રિયા કરવાની વૃત્તિ ! એ વૃત્તિ સમકિત પહેલાં આવી શકે અને એ દ્વારા પણ સમકિત માટે જરૂરી ક્ષયોપશમાદિને સાધી શકાય. જિનશાસનની મોક્ષ માટે ઉપદેશાએલી ક્રિયાઓ કરનારમાં વ્યવહાર સમકિત માનેલું છે. અનેક નયોમાં નૈગમ નામનો પણ એક નય છે. નૈગમ નય એ એક એવા પ્રકારનો નય છે કે, એ નય થોડી પણ જિનશાસનને અનુસરતી ક્રિયાને દેખે, એટલે નય એમ કહે કે એનામાં પણ સમકિત છે. સભા એવા સમકિતીનો સંસાર અર્ધ પુદ્ગલપરાવર્તથીય ઓછો ખરો કે નહિ? ચોથા ગુણસ્થાનકને પામેલા જીવના જ સંસારને અધ પુદ્ગલપરાવથી ઓછો સંસાર કહી શકાય. એ માટે તો દર્શનમોહનીયના ક્ષયોપશમાદિની આવશ્યકતા ગણાય. આપણી વાત તો એ છે કે, આપણને એમ નિશ્ચિત થઈ જવું જોઈએ કે ભગવાને મોક્ષ માટે ધર્મ કહ્યો છે અને હું જે જિનદર્શનાદિ થોડી પણ ક્રિયા કરું છું, તે મોક્ષ માટે કરું છું પછી કોઈ પૂછે કે “શ્રીસિદ્ધગિરિએ કેમ આવ્યા છો?” તો કહેવાય કે “આ એવી પુણ્યભૂમિ છે કે, અહીં કાંકરે કાંકરે અનંત સિદ્ધો થયા છે, એટલે અહીં આવવાથી મારી પણ મોક્ષની ભાવના સતેજ બને અને મોક્ષમાર્ગની આરાધના મારાથી સારી રીતે થાય, એ માટે હું અહીં આવ્યો છું.” આ રામચસરિસૃતિગ્રંથમાળા -૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005640
Book TitleDharm Prapti Kone ane Kyare
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Kirtiyashgani
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy