________________
-: શાશ્ર્વત ગિરિ મહિમા :
અને ઉલ્લાસપૂર્વક ચૈત્યવંદન કર્યું. મહોત્સવપૂર્વક પૂજા ભણાવી અને બહુ પ્રકારે ગિરિરાજની ભક્તિ કરી.
અનુક્રમે સકળ સંઘે ડુંગર ઉપર ચઢવાનું શરૂ કર્યું. રસ્તામાં આવતી સર્વ દહેરીઓની અંદરની પાદુકાઓની કેશર, ચંદન, પુષ્પાદિકથી પૂજા કરી અને વંદન કરતાં કરતાં મુખ્ય ટુંકે પહોંચ્યા. મૂળનાયક શ્રી ઋષભદેવસ્વામીની મનોહર મૂર્તિ નીહાળતાં અપૂર્વ ઉલ્લાસ જાગૃત થયો, રોમેરોમ વિવર થઇ ગયા, જન્મ કૃતાર્થ થઇ ગયો અને સકળ યાત્રાળુસહિત કુમારપાળ ભૂપાળ અને પટ્ટરાણી ભોપળદેવીએ ત્રણ પ્રદક્ષિણા દઇને ભાવપૂર્વક વંદણા કરી, મણિ મોતીના થાળ ભરી ભરીને પ્રભુને વધાવ્યા.
યુગાદિદેવ શ્રી ઋષભજિણંદની બહુ પ્રકારે સ્તુતિ કરીને રસના (જીભ) પવિત્ર કર્યા બાદ સૂરજકુંડ અને શેત્રુંજી નદીના નિર્મળ જળથી સ્નાન કરી કુમારપાળ સહિત સર્વેએ પ્રભુપૂજા વિધિપૂર્વક આદરી.પ્રથમ પ્રભુજીને મોરપીંછી વડે પ્રમાર્જીને સુવર્ણના અને રૂપાના કળશો વડે અનેક ધારાથી જળ અભિષેક કર્યો અને મેરૂ શિખર ઉપર ઇંદ્રો પ્રભુને હવરાવીને જેમ લ્હાવો લે છે તેમ અપૂર્વ લાભ લઇને સુકોમળ વસ્ત્ર વડે અંગ લુછીને કેશર, ચંદન, પુષ્પ, ધૂપ,
Jain Education International
૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org