________________
યયાવચ્ચ - આ ચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી
તથા સ્વગુર્વાદિની સેવા-સુશ્રુષા કરવી. ૧૦. સ્વાધ્યાય - શ્રી જિન પ્રવચનનો અભ્યાસ, ઉપદેશ, ચિંતનાદિ
રૂપ સ્વાધ્યાય કરવો. ૧૧. ધ્યાન - સ્થિરતાથી આજ્ઞાચિય આદિ ૧૦ પ્રકારનું ધર્મધ્યાન
કરવું. (જુઓ ફુટનોટ) ૧૨. કાયોત્સર્ગ - કાયાની સ્થલ ચેષ્ટાનો ત્યાગ કરી પરમ આદર્શ
શ્રી અરિહંતાદિનું સ્મરણ કરતા રહેવું.
આથી વિપરીત કારવાઇને તપાચારના બાર અતિચારો કહેવાય છે, જે ત્યાજય છે.
૧.
પ-વીર્યાચારના ત્રણ આચારો સેવનીય છે. મનોવીર્ય - આવશ્યકાદિ ધર્મક્રિયાઓમાં મનની શક્તિ ન ગોપવવી. વચનવીર્ય - આવશ્યકાદિ ધર્મક્રિયાઓમાં વચનની શકિત ન ગોપવવી., કાયવીર્ય - આવશ્યકાદિ ધર્મક્રિયાઓમાં શરીરની શકિત ના ગોપવવી.
૧.
આ
૧૦-ધર્મધ્યાનના ચાર પ્રકારો છે. આજ્ઞાવિચય - સર્વ પ્રાણીગણને એકાન્ત ગુણ કરનારી અને દોષોને ટાળનારી શ્રી જિનવરની આજ્ઞા દુર્લભ છે, તેના વિચારમાં ચિત્તને એકાગ્ર કરવું. અપાયરિચય - અકાર્ય સેવનથી અને કષાય વગેરે કરવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કેટલું નુકસાન થાય છે, તે સમજી તેમાં મન સ્થિર કરવું. વિપાકવિચય - સ્ટેજ હેજમાં પ્રમાદ વગેરેથી બંધાતા કર્મોના વિપાક પણ કેવા ભયંકર ભોગવવી પડે છે, તે એકાગ્રતાથી વિચારવું. સંસ્થાનવિચય - ચૌદ રાજલોકપ્રમાણ અનાદિ સંસારમાં જીવ કેટલું ભટકે છે. તે જાણી, તેના ઉપયોગમાં મનને સ્થિર કરવું. ચિત્તમાં પરમ શાંતિ, વૈરાગ્ય, પાપભીરતા, આત્મસંતોષ, કિયાભિરુચિ વગેરે ધ્યાનનાં શુભ ચિહનો છે. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી. ગુણાધિકો પ્રત્યે પ્રમોદ, દીન-દુ:ખી પ્રેયે ક થી. અને ફિલષ્ટ જીવો પ્રત્યે મધ્યસ્થ ભાવ કેળવવાથી મનમાં બહુ શાંતિ મળશે. વૈરાગ્ય માટે સંસારપદાર્થોની અનિયતાદિ ૧૨ ભાવનાઓ નિર-17 માવવી,
33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org