________________
૫૩ -- વેલ્લું પાનું જેના સ્પ થાય આ સર્વ હેઠળ તે શી હેમાચાર્યો પ્રણામ
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજના જીવનનો કથા-પ્રસંગ છે. તેમની દીક્ષા સાવ નાની વયમાં થઈ હતી. નામ અપાયું હતું સોમચન્દ્ર મુનિ. હજી તો બાળપણ છે. સવારનો સમય છે. ગોચરી વાપરવાની ઇચ્છા થઈ. એક વયોવૃદ્ધ મુનિ વીરચન્દ્રજી મહારાજ સાથે વ્હોરવા પધાર્યા. નજીકના જ એક ઘરે પધાર્યા. સાવ સામાન્ય સ્થિતિવાળું ધનદ શેઠનું ઘર. સવારેસવારે પાણીમાં ઘઉંનો લોટ ભેળવી અને તેમાં મીઠું(લવણ) ઉમેરી રાબ તૈયાર કરેલી હતી. ઘરમાં પ્રવેશતાં ત્યાં પડેલા કોલસાના ચોસલાને હાથ અડાડી નાના મહારાજ સોમચન્દ્ર મુનિએ વૃદ્ધ મુનિવરને કહ્યું: ‘આમની પાસે આટલું સોનું છે છતાં આવી લોટવાળી રાબ જ પીએ છે !' તેઓના હાથનો સ્પર્શ જેવો એ ચોસલાને થયો કે તરત જ તે સોનું બની ચળકવા લાગ્યું ! વણિક ગૃહસ્થની ચકોર નજર પામી ગઈ કે આ નાના મુનિવર ખૂબ જ પુણ્યવંત છે. તેઓના સ્પર્શમાત્રથી આ કોલસામાંથી સોનું બની ગયું. ગૃહસ્થ બોલ્યા: “નાના મહારાજ ! આપ આ બધાને આપનો હાથ અડાડોને! આ બધાં ધન વડે આપના સૂરિપદ પ્રદાન સમારોહમાં લાભ લઈશ. એ ઘટના પછી વીર સંવત ૧૧૬ની સાલમાં અક્ષયતૃતિયાના શુભ દિને સૂરિપદ પ્રદાન અવસરે તેઓનું નામ હેમચન્દ્રસૂરિ મહારાજ રાખવામાં આવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org