SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા:૯૩ સુખની ચાવી : આપણા જ હાથમાં આપણા જીવનનાં મોટા ભાગનાં દુઃખો આપણે જ નોતરેલા અને આપણે જ ઊભા કરેલાં, આપણે જ ઉછેરેલા હોય છે. તેના બે કારણો હોઈ શકે, અદષ્ટ કારણ અને દષ્ટ કારણ. અદષ્ટ કારણમાં તો આપણે ભાગ્ય અને કર્મને નિમિત્ત માની લઈએ છીએ. જ્યારે દષ્ટ કારણમાં તો આપણે સ્વયં જવાબદાર હોઈએ છીએ. આમેય આપણા સ્વભાવને કારણે આપણા જીવનમાં સુખ અને સુખના કારણો કરતાં દુઃખ અને દુઃખના કારણો વધુ જ મળવાના. છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. શરીરના રોગો અને એવા એવા દુઃખ, જીવન જીવવાની આપણી અણઆવડત અને આરોગ્યના નિયમોની અણસમજની જ નીપજ છે! મોટા અને ભારે રોગોમાં પૂર્વે બાંધેલા કર્મ પણ નિમિત્ત બનતાં હોય છે. જ્યારે, મનની ચંચળતાને કારણે, ખોટા દષ્ટિકોણને કારણે, ખોટી રીતે વિચારવાની ટેવને કારણે ઊભા થતાં દુઃખો તો પારાવાર છે, ઢગલાબંધ છે ! જે રીતે વિચારવાથી સુખ ઉપજે એવી રીતે વિચારવાની ટેવ પાડીએ તો આપણે વિષમ પરિસ્થિતિમાં પણ દુઃખી દુઃખી થઈ જવાને બદલે સ્વસ્થ રહી શકીએ. સુખ શોધવાની એક અલૌકિક દષ્ટિ ઉઘડી જાય તો સર્વત્ર સુખની સૃષ્ટિનું નિર્માણ થઈ જાય. લૌકિક રીતે ભલે જીવનના તમામ સુખચેનને હરી લેનાર ઘટના બને ત્યારે પણ તેમાં ક્યાંક છૂપાયેલા, લપાયેલા એક સુખ નામના પ્રદેશને શોધી લે છે. જેમકે ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનમાં બનેલી દુઃખદાયક ઘટનાને પોતે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ' એ શબ્દોમાં નવાજે છે. આપણે એટલી ઊંચી અપેક્ષા આપણી જાત પાસેથી ભલે ન રાખીએ, તોયે એવી એક વિચારસરણી જરૂર ખીલવી શકીએ કે : જે કાંઈ બન્યુ હોય તે ભલે બન્યું; તેનાથી વધારે અનિષ્ટતો નથી બન્યું ને ! આ નજરથી જોઈને હળવાશ અનુભવવાનું આપણે જરૂર શીખી શકીએ. જુઓને ! આ નાનકડો પ્રસંગ આવું જ શીખવે છે ને? Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy