________________
આભના ટેકા:૯૧ વળી મનમાં થયું : આમ આવા શરીરે કેમ જવાય? એટલે નદી તરફ ચાલ્યા. ત્યાં પાણીમાં હાથ-પગ બોળ્યા. નદી પાર કરતાં બીજો વિચાર ઝબક્યો: ખાલી હાથે કેમ જવાય? ત્યાં સામે નાગોડના છોડ પર નાના નાના લાલ ફૂલ દેખાયા, તે લઈ લઉં ! થોડાં ફૂલ લીધાં અને આગળ વધ્યાં. | રસ્તા પર જેવા આગળ વધવા જાય ત્યાં જાણે કીડીયારું ઉભરાયું હોય તેટલું માણસ ! અરે, માણસ જ નહીં, પશુસૃષ્ટિ પણ ત્યાં ધસમસતી દેખાઈ ! આમાં મારગ કેમ થાશે, એવી ચિંતા મનમાં ઘોળાતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાને પણ આ માજીને જોઈ દયા આવી. પાસેના મંત્રીને કહ્યું કે સૈનિકોને સૂચના આપજો કે માજી ક્યાંક ચગદાઈ ન જાય. રાજા તો આગળ વધ્યા. પણ મનમાં આ ભાવુક માજી વસી ગયા. જેવા તેઓ પ્રભુ પાસે પહોંચ્યા તેવો જ પ્રશ્ન પૂછ્યો : પ્રભો ! પે'લા માજી ક્યાં પહોંચ્યા ?
ત્યાં પ્રભુ કહે : આ તમારી સામે બેઠાં છે તે. રાજા કહે : આ તો દેવ છે ! પ્રભુ કહે : એ માજી દર્શન કરવાની ચઢતી ભાવધારા સાથે આવી રહ્યા હતા, ત્યાં જ માણસની ભીંસ થતાં ચગદાઈ ગયા અને તેઓનું આયુષ્ય પૂર્ણ થયું. એમના મનમાં પ્રભુના દર્શનની તીવ્ર ભાવના હતી. હાથમાં નગોડના ફૂલ હતા તેથી દેવલોકનું આયુષ્ય બાંધ્યું અને આ તમારી સામે જ બેઠાં છે. હીન, દીન અને દરીદ્ર અવસ્થામાંથી કેવા પુણ્યશાળી બની ગયા ! આમાં
કરણ અને ઉપકરણ તદ્દન ગૌણ નગોડનો છોડ છે
હતા. માત્ર અન્તઃકરણથી તેમનું કામ થયું !
આપણે પણ ધર્મ સાધવા માટે વધુમાં વધુ જોર અન્તઃકરણ ઉપર દેવાનું છે. મનમાં જ પ્રભુનું સ્થાપન કરી તેમની સાથે તદાકાર થવા પ્રયાસ કરવાના છે. તેમ કરવાથી જ સાધના ફળવતી અને બળવતી બની રહેશે. ]
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org