________________
આભના ટેકા : ૫૯
મદનરેખા નદીના જળમાં પોતાના દેહની શુદ્ધિ કરીને કાંઠે આવે તે ક્ષણે એક અજબ ઘટના બની. આકાશમાર્ગે જતાં એક વિદ્યાધરે મદનરેખાનું અદ્ભુત રૂપ-લાવણ્ય જોયું. તેના પર મોહી પડ્યો અને અપહરણ કર્યું.
આ બાજુ, જે બાળકને જન્મ આપીને ધરતીમાતાના ખોળે મૂક્યો હતો તેને, વહેલી સવારે વનવિહાર માટે નીકળેલા એક રાજા -પદ્મરથે જોયો. પાંદડામાં વીંટળાયેલું બાળક ખિલખિલાટ હસતું હતું. ગુલાબની પાંદડી જેવી કોમળ, પગની પાનીને ઉછાળતું બાળક જોતાવેંત ગમી ગયું. વનદેવતાને પ્રણામ કરી, રજા માંગીને રાજાએ એ બાળકને લઈ લીધું.
રાજમહેલમાં એ બાળક રાણીના હેત-પ્રેમના અમી રસથી સીંચાવા લાગ્યું. લાડ-દુલારથી ઉછરવા લાગ્યું. કાળ, કુદરત અને કર્મનો કીમિયો કેવો આશ્ચર્યકારી છે ! કલ્પનાના પ્રદેશની પેલે પારની વાતો છે !
મદનરેખાના જીવનમાં કેવી કેવી દિલધડક ઘટનાઓ બનતી રહી ! પર્વતને ધ્રુજાવે એવા એવા વાવાઝોડા ફૂંકાતા રહ્યા. આ બધાની વચ્ચે પણ મદનરેખાનું મન મેરુ જેવું અવિચળ રહ્યું. કયા અણુ-પરમાણુંથી મદનરેખાના મનનું નિર્માણ થયું હશે ? ભલભલાના હ્રદયનો બંધ તૂટી પડે અને પાંપણની પાળ તૂટીને દડ દડ આંસુની ધાર ચાલુ થઈ જાય તેને બદલે હૈયું ભીનું હોવા છતાં આંખ કોરી રહે, બુદ્ધિ સ્વસ્થ રહે. આ વાત જલદી માન્યામાં ન આવે તેની છે. આવું જોઈને કવિમુખેથી પંક્તિઓ સરી પડે :
शायद लाखो नारी में ओक ही नारी होती है।
हृदय है जिसका सागर गहरा, जीवन गगन की भांति है ॥ સ્ત્રીત્વની તમામ મર્યાદા ઓળંગીને સ્ત્રીત્વના સકલ ગુણોને ખીલવીને સ્ત્રી પૂર્ણ બને છે. પૂર્ણ સ્ત્રી દેવી છે. તેમાં માતૃત્વનાં દર્શન થાય છે. હૃદય શ્રદ્ધાથી ભરેલું હોય છે ત્યારે બુદ્ધિ હૃદયની દાસી થઈને વર્તે છે. શ્રદ્ધાથી શુદ્ધ થયેલી બુદ્ધિ કામધેનુ જેવી છે.
જે ક્ષણે વિદ્યાધરે અપહરણ કર્યું તે ક્ષણે પણ મદનરેખા સ્વસ્થ છે. વિદ્યાધરના બદ-ઈરાદાને સમજતાં વાર ન લાગી. સ્ત્રીનું કોમળ હૈયું ફફડી ઊઠ્યું. હવે આ ક્ષણ પછી શું થશે ? મન જાત જાતની શંકાઓથી ઘેરાયેલું હતું. પ્રભાત તો થઈ ચૂક્યું હતું. પૂર્વાકાશમાં બાલ-રવિ ધીરે ધીરે દીપ્તિ વેરતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org