________________
૫૬:આભના ટેકા
વિપત્તિની વણઝાર વચ્ચે, નહીં આવેલાં આંસુની કથા
વિશ્વને અમૃતથી તરબોળ કરનાર ચંદ્રમા જ્યારે ચંદ્રિકાને બદલે આગ વરસાવે ત્યારે તેની ફરિયાદ કોને કરવાની? પોતાના પતિના મોટાભાઈ તરફથી આવતી ભેટ-સોગાદની પાછળ વાત્સલ્ય અને સ્નેહનું જ દર્શન કરવાનું રહે. વહેમ કે વિકારનો તો અણસાર પણ વિચારાય નહીં.
પણ બન્યું એવું કે યુગબાહુના મોટાભાઈ મણિરથની લોલુપ નજર, મદનરેખાના અપાર્થિવ રૂપ-સૌંદર્યને જોઈને કામુક બની. પોતે પિતા સ્થાને હતા તેમાંથી ઊતરીને પશુ જેવા વિચારે પાગલ બન્યા.
જીદભરી ઇચ્છાનો નશો જ્યારે મન ઉપર સવાર થાય છે ત્યારે પહેલું કામ આંખો મીચાઈ જવાનું થાય છે, એટલે હિત-અહિત કે કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર ફરકે નહીં. પરિણામની પણ ફિકર નહીં.
રાજા મણિરથને લાગ્યું કે મદનરેખાને વશ કરવામાં યુગબાહુવચ્ચે આવે છે. યુગબાહુની હાજરી નહીં હોય તો જ મદનરેખા મને મળે, મળી શકે. આવો દુર્વિચાર મનમાં ધારી તેણે વસંતપંચમીના મેળાનું આયોજન ગોઠવ્યું. ગામની બહાર વિશાળ ઉદ્યાનોમાં નગરનાં અનેક નર-નારીઓ, બાળકોનાં ટોળેટોળાં ઊતરે અને એ વખતે ભીડમાં કામ થઈ જાય. આવી મેલી મુરાદથી એ દિવસે સમસ્ત રાજ પરિવારને આ મેળામાં ભાગ લેવા જવાનું એમ જાહેર કર્યું. બધાં જ ગયા એટલે મદનરેખા-યુગબાહુ પણ ઉદ્યાનમાં આવ્યા. વનરાજિ પૂર બહારમાં ખીલી હતી. પલાશ વૃક્ષો ઉપર કેસુડાના ફૂલો ઝૂમખેઝૂમખે ફાલ્યા હતા. એના ઉપર પોપટનાં લીલા ટોળા ઉડાઉડ કરતા હતા. કોયલોના મીઠા ટહૂકા વન-ઉપવન ગજવતા હતા. પુષ્પોની પરાગરજ માટે ભમરાઓ ચારે બાજુ ગૂંજતા હતા. જ્યાં નજર નાખો ત્યાં લીલીછમ વનરાજિ આંખને અને મનને ઠારતી હતી. આખો દિવસ આમ નાચ-ગાન-ખેલ-કૂદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org