________________
૫૦: આભના ટેકા
દર્શન કરવા ન ગયા છતાં શ્રેષ્ઠ ગણાયા
IJ
વીર વિભુની વિશેષતાઓ તો આકાશના તારા અને નક્ષત્ર કરતાં પણ વધારે છે. પ્રભુનું જ્ઞાન તો અસીમ હતું પરંતુ એમની કરુણતાના તો કોઈ કિનારા જ ન હતા.
બુદ્ધિથી અગમ્ય પુરુષનું બધું જ અગમ્ય હતું.
અંબડ પરિવ્રાજક પ્રભુ મહાવીરના અઠંગ ભક્ત હતા. પ્રભુથી વિદાય લેતી વેળાએ પ્રસ્થાન સમયે પ્રભુ મહાવીરને પૂછે છે : ‘રાજગૃહી તરફની કાર્યસેવા ફરમાવો !' મહાવીર પ્રભુએ કહ્યું : ‘ત્યાં સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો.’ મહાવીર ભગવાનનું કહેણ તો યાદ રાખીને અમલમાં મૂકવાનું જ હોય ! પરિવ્રાજક અંબડે બરાબર વિચાર્યું. રાજગૃહીમાં તો પ્રભુ મહાવીરના ધર્મના રાગી અને ઉપાસક તો ઘણાં બધાં છે, તે છતાં સુલસામાં એવું તે શું વિશેષ છે કે તેને જ ધર્મલાભ પાઠવ્યા છે !
મારે જાણવું પડશે. આ કામ માટે જીભને વાપરતાં પહેલાં મારે મનને વાપરવું જોઈએ; એમ વિચારી અંબડે પોતાની વિદ્યાના બળે, વારાફરતી ત્રણ દરવાજેથી, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવના સ્વરૂપે નગર પ્રવેશ કર્યો !
ભલભલાંને કૌતુક અને કુતુહલ થાય તેવું જોણું બન્યું. રાજગૃહી ઉપરતળે થઈ ગયું. નગર આખું ઉમટ્યું. ઘરડાબુઢ્ઢા ને નાના બાળકો પણ, સ્ત્રી અને પુરુષ, શેઠ અને વાણોતર, સહુ કોઈ આ સ્વરૂપને દર્શને આવ્યાં. અંબડની આંખો આ બધામાં સુલસાને શોધતી હતી. સુલસા એમ થોડી દોડી આવે ?
હાર્યો બમણું ૨મે તેમ, ચોથે દિવસે, અંબડે હવે તો સ્વયં પ્રભુ મહાવીરનું રૂપ કાઢ્યું ! સમવસરણ પણ રચ્યું. પ્રભુ મહાવીરના દર્શને તો સુલસા આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org