________________
૪૮ : આભના ટેકા
ઉઘાડા દરવાજાથી ઉદ્ધાર થઈ ગયો
રાત વીતી રહી છે. દરબારગઢના પહેરેગીરે ડંકા વગાડવા છે...બાર..એક..બે...
ગામ આખું જંપી ગયું છે. શાંતિ તો એવી પથરાઈ ગઈ છે કે ગામના પાદરમાં વહેતી નદીના પાણીના ખળખળ પ્રવાહનો અવાજ, પેલા તમરાંના ત્રમ ત્રમ અવાજ સાથે ભળીને મધુર સંગીત પ્રગટાવે છે. બધે બધું જ શાંત છે પણ ..
...એક ઘરના ઓરડામાં યુવાન પુત્રવધૂ અને એની સાસુનાં મન અશાંત છે. મધરાતે પણ એમની આંખમાં નિંદરનું નામ-નિશાન નથી. ફાટી આંખે ઘરના બંધ દરવાજાને તાકી તાકીને આંખો પણ હવે થાકી.
ત્યાં.. બહાર પગરવ સંભળાયો. વહુએ દીવાની વાટ સંકોરી. પતિદેવે બહાર ફળિયામાં લથડતાં પગે બારણે ટકોરા માર્યા. જુગારમાં બધું હારી, થાકી હવે ઘર યાદ આવ્યું હતું. મન અને મગજ ઠેકાણે ન હતા. ઘરની અંદરથી કોઈનો સંચાર ન સાંભળ્યો એટલે હવે, દરવાજાની સાંકળ ખખડાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org