________________
૩૪: આભના ટેકા
શરીરની વેદના વચ્ચે પણ, સંગમના મનમાં પ્રસન્નતા છલકાવા લાગી. નિર્દોષ અને ભોળી, કાળી-કાળી આંખમાં અંકાયેલી મુનિ મહારાજની પ્રશાંત છબી બરાબર યાદ આવતાં વેંત ; અહો ! આ તો એ જ મુનિરાજ છે ! જેમની સાથે પ્રીતિ બંધાઈ હતી. તેમના મુખનાં વચનો મળ્યાં, એટલે એ પ્રમાણે બોલવા લાગ્યો. મન વેદનામાંથી નીકળીને નમો અરિહંતાણં એ સાત અક્ષરમાં રમવા લાગ્યું. એ જ પરિણતિમાં પરભવના આયુષ્યનો બંધ અને આ ભવના આયુષ્યનો અંત આવ્યો. જીવ પરભવમાં પહોંચી ગયો !
રાજગૃહી નગરી. ગોભદ્રશેઠ અને ભદ્રામાતા. શાલિના ક્ષેત્રનું ઉત્તમ સ્વપ્ન અને પછી બાળકનો જન્મ. એ સમયમાં જાતકનાં નામ પાડવામાં રાશિનો વિચાર પ્રધાન ન હતો. સ્વપ્નદર્શનને જ કેન્દ્રમાં રાખીને શાલિભદ્ર નામ રાખ્યું. સમગ્ર પરિવારમાં આનંદની ભરતી જ વર્તે છે. સર્વત્ર પુણ્ય પ્રકર્ષનાં દર્શન જ થતાં હતા. અહીં પણ પેલા જન્મની જેમ પિતાની ગેરહાજરી થઈ. પરંતુ એ શરીરથી જણાતા ન હતા એટલું જ. એમના અસ્તિત્વનો પરિમલ સર્વત્ર પ્રસરેલો –અનુભવાતો હતો. કેવો તે પુત્રપ્રેમ ! પુત્રના પુણ્યપ્રાભારથી વિસ્તર્યો કે દીકરાને પીવાનું પાણી પણ દેવલોકમાંથી પૂરું પાડતા. પાણીની વાત આવી હોય, તો પછી ખાવાનું, પહેરવાનું, શણગાર માટેના ઘરેણાં-દાગીનાનું તો પૂછવું જ શું ? એક શાલિભદ્ર અને તેમનાં બત્રીસ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org