________________
આભના ટેકા : ૩૩
એવામાં મુનિ મહારાજે ‘ધર્મલાભ’ કહી ઘરમાં પ્રવેશ કર્યો. સાંગાની પાસે આવીને ઊભા રહ્યા. એ તો ખીરમાંથી નીકળતી વરાળ જોઈ રહ્યો હતો. ‘ધર્મલાભ’ નો સ્વર સાંભળી, એણે જેવું ઊંચે જોયું, તો થયું : અહો ! એ જ મુનિરાજ છે જેમને રોજ રોજ કહ્યા કરતો. તે જ પધાર્યા.
પુલકિત હૈયે, ખીર ભરેલી તાસક બે હાથે ઊંચકી, મુનિરાજના હાથમાંના પાત્રમાં ઠલવવા લાગ્યો. એની શુદ્ધ, શુભ્ર અને શુભ ભાવધારાને અખંડ રાખવા મુનિરાજ પણ ‘ના’ ન બોલી શક્યા. પાત્રુ આખું ખીરથી ભરાઈ ગયું. સંગમનું મન ભાવથી ભરાઈ ગયું ! આત્મા પુણ્યથી ભરાઈ ગયો !
ન
મુનિરાજ ‘ધર્મલાભ’ કહી ઘર બહાર પધાર્યા એટલામાં મા પાછી આવી. સંગમ મરક-મરક ખુશ થતો હતો અને તાસકમાં થોડી વધેલી ખીર આંગળાથી ચાટી રહ્યો હતો. માને થયું ઃ દીકરો હજુ ભૂખ્યો લાગે છે. વધેલી બધી ખીર એની તાસકમાં પીરસી દીધી. સાંગો તો કાંઈ બોલતો નથી. એને રૂંવે રૂંવે હરખ ઉભરાય છે. થાળમાંની ખીરને બદલે મુનિરાજનું પાત્રુ જ દેખાયા કરે છે ! એ જ મુનિરાજ પધારી ગયા. ‘સરસ થયું સરસ થયું' એમ વિચારમાળા ચાલતી હતી; ત્યાં મા, ઘરના નળિયાંમાંથી ચળાઈને આવતાં ચાંદરણાં બતાવી કહે છે : “જો, સૂરજ તો માથે ચડી આવ્યો. તારા ભેરુઓ તો ક્યારનાય ગામની સીમમાં વાછરડાંને લઈ આગળ નીકળી ગયા છે. તું ય જલદી ખાઈને પહોંચી જજે. ”
એમ કહી મા તો ગઈ. ગરમ ખીર મોંઢે માંડી, પેટમાં પડી. પણ મન હવે ખીરમાં ક્યાં છે ? એ તો મુનિરાજની પાછળ-પાછળ ચાલ્યું છે ! ‘ક્યારે ખીર ખવાઈ, ક્યારે એ ઊભો થયો, લાકડી લઈ ઘર બહાર નીકળીં દોડવા લાગ્યો’ તેનું ભાન-સાન ન રહ્યું. ખીર ખાધી તેની ગરમી, માથે તપતા સૂરજની ગરમી, પાણીનો સોસ અને દોડવાનો શ્રમ - બધું ભેગું થયું. વચ્ચે મોટો ખાડો આવ્યો, એનો ખ્યાલેય ન રહ્યો ને તે એમાં ઊંધે માથે પડ્યો.
પાણીની તરસ તો ખૂબ લાગી હતી. ‘પાણી, પાણી’ એમ બૂમ પાડે છે, ત્યાં જ પેલા મુનિરાજ અનેક ઘરે ગૌચરી વહોરી પાછા વળી રહ્યા હતા, તેમના કાને આ અવાજ સંભળાયો. તુર્ત જ ખાડા પાસે આવ્યા. કહેવા લાગ્યા : પાણી...પાણી હમણા આવે છે.. બોલો ‘નમો અરિહંતાણં, નમો
અરિહંતાણં.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org