________________
આભના ટેકા: ૧પ૯
ઉગરચંદમાં ભક્તિ ખરી પણ વિવેકના ખાતે મોટું મસ મીંડુ !
સ્વરૂપચંદે જે ભક્તિ ધગધગતાં ઉનાળામાં કરી હતી તેવી ભક્તિ ઉગરચંદે ઉત્તર ગુજરાતના ગામમાં, પોષ મહિનાની કડકડતી ટાઢમાં કરી !
જે ભક્તિમાં વિવેકનો અંકુશ નથી તે ભક્તિ ભારરૂપ છે. બોજારૂપ છે. ક્યારેક તો જીવલેણ પણ થાય !
ભક્તિનું મૂલ્યવાન નંગ વિવેકની વીંટીમાં મઢાયેલું હોય ત્યારે તે જીવાદોરી જેવું નીવડે છે.
અંતરંગ ભક્તિભાવમાં સમજપૂર્વકનો વિવેક ભેળવીએ. ]
સાંબેલુ
નાનું એવું ગામ. ગામના પાદરમાં એક ડેલીબંધ ઘર. ડેલી ઉઘાડીએ ને વીસેક ડગલાં ચાલીએ એટલે ઘરના પગથી આવે. પહેલો ઓટલો પછી ઓસરી અને અંદરના ઓરડા રસોડું વગેરે આવે. ઘરના માલિક ઉગરચંદ.
ઉગરચંદભાઈ સ્વભાવે ઓલદોલ. ખાવે-ખવરાવે રસવાળા. - બપોરે બજારમાંથી ઘરે રોટલા ખાવા જાય ત્યારે જે કોઈ પરોણાં મહેમાન મળે તેને આગ્રહ કરે. ન માને તો કરગરે પણ સાથે લીધે જ પાર કરે. ઘરે લાવી સારી સરખી પરોણાગત કરે.
એ દિવસે નજીકના ગામથી આવેલા છ જણાં, જેઓ વેપારી મહાજન હતા, તેમને પરાણે ઘરે લઈ આવ્યા.
ડેલી ખોલી. એ છએ જણને અંદર લીધાં. ખાટલો ઢાળ્યા. બધાંને ઠંડું પાણી પોતે પાયું. પછી ઉગરચંદ રસોડે ગયા. બહેનને કહ્યું : “આજે તો મહાજન આવ્યું છે. શિરો અને ભજીયા બનાવો.” બહેન કહે : “બધું બનાવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org