________________
આભના ટેકા: ૧૪૯
મારા પ્રભુજી પહેલા, પછી હું
માં
વાત જામનગરની છે. સ્થળ ચાંદી બજાર. જમનાદાસ મોનજીનું ઘર. સાંજના સાત વાગ્યાની વાત. ચોમાસાના દિવસો હતા. આકાશ ઘેરાયેલું હતું. રસ્તામાં આમ તો અંધારું હતું પણ મનની અંદર અજવાળું હતું.
સાંજનું વાળુ કરીને પતિ-પત્ની હિંડોળે બેઠાં હતા. સામે પાડોશી મિત્ર પણ બેઠાં હતા. સરખા વિચારવાળા અને સરખી સમૃદ્ધિવાળા હતા. સામાન્ય વાતચીત ચાલતી હતી. એવામાં મુંબઈથી ફરી ફોન આવ્યો. મુનીએ લીધો અને વાત કરી. સમાચાર સારા હતા. કમાણી હતી એમાં ઉછાળો આવ્યો, ન ધારેલી રકમ આવશે. શેઠની મુંબઈની પેઢીની આવક ઉપર જ આધાર હતો અને વેપાર એવો જામેલો હતો કે આવક એટલો નફો હતો ! - જમનાદાસ મોજમાં આવી ગયા. પત્નીને કહે કે, આવતી કાલે સોનીને બોલાવ્યા છે. તમારે જેટલાં ઘરેણાં બનાવરાવવા હોય તેના માપ આપી દેજો.
બાજુમાં બેઠેલા મિત્રને પણ થયું કે આપણે શા માટે પાછળ રહેવું? તેમણે તેમના પત્નીને બોલાવ્યા અને કહ્યું કે કાલે સોની આવે જ છે, તમે પણ માપ આપી દેજો. ઘરેણાં એક સાથે થઈ જાય.
જમનાદાસ મોનજીનો ઉત્સાહ જોઈ શ્રાવિકા વિચારમાં પડી ગયા. સામેથી બેવડો ઉત્સાહ છલકવો જોઈએ તેના બદલે થોડીવાર માટે ઘરમાં મૌન છવાઈ ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org