________________
૧૩૬: આભના ટેકા
મનથી ગ્રાહક બનીને થાય. અને એ રીતે પાતાળમાંથી પણ સરવાણી ફૂટી આવો સત્સમાગમ, ઇશ્વરની કૃપા અને એના અનુગ્રહના પ્રભાવે થાય છે. આને પાત્ર બનવાનું સૌભાગ્ય ઇશ્વરના ઉપકારનો સતત સ્વીકાર કરવાથી સાંપડે છે. આપણા ઉપર ઇશ્વરના ઉપકારની વર્ષા સતત થતી જ રહે છે એવું જે ક્ષણે અનુભવાય ત્યારે સત્પરુષનો ભેટો થાય છે. તેઓના સમાગમથી અંદરનું તમસ- અંતરનો અંધકાર ઉલેચાય છે, પીગળે છે. અજવાળું અજવાળું થઈ જાય છે. હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ ભળાય છે. શું કરવા લાયક, શું ન કરવા લાયક; શું બોલવા લાયક, શું ન બોલવા લાયક; શું વિચારવા - લાયક, શું ન વિચારવા લાયક - આ બધું પરિણામ દષ્ટિએ સમજાય. તેથી મોટો લાભ થાય છે. ગુણવિકાસે સાતત્ય રહે છે. ગુણ વિશેષ સ્થિરતા આવે છે. આમ ગુણસંગ્રહ થતો રહે છે.
બીજી બાજુ વિવેકની સતત હાજરીથી દોષસંયમ આવે છે. દોષ દૂર થવા, નિર્મૂળ થવા એ બહુ જ મુશ્કેલ કામ છે. દોષ પર વિવેકની લગામ લાગી જાય તો તે આગળ ન વધે. આવેશમાં આવી જવાય અને દોષ પ્રગટ થાય, પસ્તાવાનો વારો આવે- આ બધાથી બચી જવાય, અળગા રહેવાય તો એ દોષ-સંયમનું ફળ છે. વિવેક દ્વારા જ આ બની શકે. આથી વિવેકનો બહુ મહિમા છે. વિવેક-રત્નનાં અજવાળાં હંમેશા ઝળહળતાં રહે છે. એનાંથી ચિત્તમાં સંકલેશ જાગતો નથી. સંકલેશ રહિત ચિત્ત જ આપણું સાચે સાચું આંતર-ધન છે. જે આ ધન પ્રાપ્ત કરે છે તે જ સાચો ધનવાન છે. પુણ્યોદયથી પ્રાપ્ત ધન વડે થતા ધનવાનની દશા તો ચંચળ હોય છે; એ ક્યારેક કંગાળ દશામાં પણ જોવા મળે. જ્યારે જેને આંતરૂ-ધન પ્રાપ્ત થયું છે તેની તો વાત જ જુદી છે. કઠીન લાગતી આ બધી વાતો સમજવા માટે આવાં ઉદાહરણો ઘણાં ઉપયોગી નીવડે છે. જીવનમાં સત્સમાગમને સર્વોપરી સ્થાન આપીએ તો જ આ વિષમ કાળનાં ઘણાં બધાં દુરિતોથી-અનિષ્ટોથી બચી શકાશે. જેને માટે આ દુર્લભ સંયોગોનાં ગુણગાન ગવાય છે તેને સફળ બનાવી શકાશે. એ સાર્થક અને સફળ બનશે તો આપણું જીવન સ્વ અને પરને શાતાદાયી બનશે. ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org