________________
1 પ્રાર્થના ક
૨૩ શ્રી રાજનગર મુનિસંમેલનની સતત ૧૫ દિવસ ચાલેલી કાર્યવાહીને આ પુસ્તકમાં દિનવાર પૃથફ પૃથક્ જવામાં આવેલ હેઈને આ ઐતિહાસિક પુસ્તકરત્નનું “શ્રી રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહીએ સાર્થક નામ આપવામાં આવેલ છે. આ ગ્રંથગત કાર્યવાહીમાં દરેક પૂ૦આચાર્ય ભગવંતે આદિ મુનિમહારાજાઓએ, ચાલુ સંમેલનમાં પ્રાયઃ ૪૦૦ મુનિરાજો વચ્ચે જે જે દિવસે જે જે હેતુગંભીર અને અર્થગંભીર હકીક્ત વ્યક્તિગત ઉચ્ચારવામાં આવેલી તે તે વિષય સંબંધીની દરેક રજુઆત કરવાની સાથે સાથે પ્રસ્તુત મુનિસંમેલનના પૂર્વયોજિત દેદારને તથા તેની નિષ્પત્તિના પૂર્વ ઈતિહાસને પણ વાચક લક્ષ્યગત કરી શકે, એ સારૂ આ સંમેલન અંગેના સાવંત રંગબેરંગી સ્વરૂપની પણ આછી રૂપરેખા રજુ કરવી જરૂરી બનેલ છે.
પ્રાફકથનની વિસ્તૃતતા બદલ ક્ષમાયાચના. એ પ્રકારનાં આ આવશ્યક પ્રાકથનમાં આપણી આશાસનથી પ્રચલિત આચરણાને વિગતથી રજુ કરવા સારૂ તથા તે આપણી પ્રાચીનતર આચરણ આજે પણ અનેક શાસ્ત્રપાઠોથી શુદ્ધ જ છે, એ હકીકતથી સર્વ કલ્યાણકામીજનેને વાકેફ કરવા સારૂ આપણી આચરણાને શાસ્ત્રસિદ્ધ પણ જણાવનારા અનેક શાસપાઠો અને પૂર્વ ઈતિહાસ રજુ કરવાનું આવશ્યક જણાવવું એ વગેરે શાસને પગી અનેક હકીક્તને સપ્રમાણ દાખલ કરવા જતાં અને તેને સુસંગત પદ્ધતિથી તૈયાર કરવા જતાં આ પ્રાકથનનું આટલું વિસ્તૃત કદ બની જવા પામ્યું, તે બદલ સુજ્ઞ વાચકવર ક્ષમા કરશે.
સમેલનનું વાસ્તવિક મૂલ્યાંકન આ રાજનગર મુનિસંમેલનનું મૂલ્યાંકન, જૈન જનતાએ તિપિતાની દષ્ટિએ જુદી જુદી રીતે કર્યું હતું, પરંતુ આ શ્રી પ્રેમસૂરિજીને
શ્રી ભાનુવિજયજીએ તે સં૦૨૦૧૫માં વઢવાણ મુકામે અમને સ્પષ્ટ કહેલ કે- આપનું સંમેલન તે સદ્ધ થયું છે. વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org