________________
પર નવમા દિવસની કાર્યવાહી
૧૭૧ નથી, પણ ઘણા જ જુના કાળને છે. તેથી જે સર્વ તિથિની ચર્ચા ચાલે તે નિર્ણય આવી જાય. આપણા ઘણાખરા પૂર્વજોએ એ પ્રમાણે કર્યુંતે બાબત એમ સમજવાનું કે-અમે જે કહીએ છીએ તે બાબત તેઓનાં ધ્યાનમાં ન આવેલ હોય અને તેમાં ફેરફાર ન કર્યો હોય એમ કેમ ન બને? અને તે બાબત ધ્યાનમાં આવે ને કોઈ સુધારે તે ખોટું શું? માટે બધી તિથિની ચર્ચા કરે એટલે સાચું ઝટ તરી આવશે.
રામસુરિજી D.-આપ કહે તે બધું વિચારી શકાય, પણ ૯૨ થી જે જુદા પડ્યા છે “તે નવું કર્યું' એમ કહે એટલે ચર્ચાની શરૂઆત થાય.
રામચંદ્રસૂરિ-નવું કહેવાય નહિ,
રામસુરિજી D.-આપે જે કહ્યું કે-૧૯૯૨માં અમે વ્યવસ્થા કરી, તે તેમ કહેવામાં આપણા પૂર્વ પુરુષનું અપમાન નથી?
રામચંદ્રસરિ-દરેક માણસ ગમે તે સુધારો કરે તેમાં આપણા પૂર્વ પુરુષનું કાંઈ અપમાન નથી. વયેવૃદ્ધ તે અમારી પાસે છે અને વર્ષોથી આમ કરતા આવ્યાનું તેઓ બતાવે છે.
રામસૂરિજી D –અમારું ત્યાં જ અટકવું છે! આપે ૯૨ થી શરૂઆત કરી એમ જે કહેવા માગતા ન છે અને નવું નથી પણ જુનું જ છે એમ કહેવા માગતા હે તે કેટલા ટાઈમથી આ ફેરફાર થયે? તે જણાવે.
રામચંદ્રસૂરિ લગભગ ૧૦૦ વર્ષના ગાળામાં આ વસ્તુની ઉપેક્ષા થઈ હતી, તેનું અમે સંશોધન કર્યું. - હંસસામ-આપે ૧૯૯૨થી ન મત શરૂ કર્યો છે તે જગપ્રસિદ્ધ બને છે અને “૧૦૦ વર્ષ પહેલાં એ જ મત હત” એમ (તમે) જણાવે છે; પરંતુ પ્રાચીન મહાપુરુષેએ પ્રચલિત પ્રણાલિકાને શાસ્ત્ર અને પદકે વગેરે દ્વારા સેંકડો વર્ષની પ્રાચીન લેખાવેલ છે તેનું કેમ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org