SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જે આત્માને ઉપલબ્ધ કરાવે, જૂના સંસ્કારોને સમાપ્ત કરાવે, ભયનો નાશ કરે, પ્રલોભનોથી ઉપર લઈ જાય તે જ ધર્મ છે તેનું નામ છે અધ્યાત્મ. - યુવાચાર્ય મહાપ્રજ્ઞા ખુશી મહેનતથી મળે છે. અસંયમ અને આળસથી મળતી નથી. મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઈ જાય. - રસ્કિન જે વ્યક્તિ વિપુલતાના સિદ્ધાંતથી પોતાના મનનો સમન્વય કરી લે છે તે સૌભાગ્યની લાગણી કરે છે. એનાથી ઊલટું, જેઓ આવો સમન્વય નથી કેળવતા તેઓ માટે તો ધનસંપત્તિ તો શું, જીવન ( નિર્વાહ પણ કઠિન થઈ જાય છે. - વેટ માર્ડના જે વાતમાં મને આજે શ્રદ્ધા છે એ જ વાત હું આજે કહીશ, પછી ભલે તે મેં જ કહેલી અગાઉની મારી જ વાતથી વિરુદ્ધ કેમ ન હોય? - - હેંડલ ફિલિપ્સ હિંસામાં જોખમ છે. હિંસામાંથી હિંસા પેદા થાય. માનવીમાં રહેલી પાશવી વૃત્તિ જાગે. હિંસાથી હિંસા વધે. સારા હેતુથી શરૂ થાય તે ખોટી દિશાએ વળે. અમુક જ હદ સુધી લઈ જવું હતું તે માઝા મૂકીને બેકાબુ બની જાય. હિંસામાં નુકશાની છે, દુઃખ છે, અફસોસ છે. - ફાધર વાલેસ ઉપરથી હવે કોઈ અવતાર અવતરવાનો નથી, આપણે જ આપણા અવતારને સાર્થક કરવાનો છે. (૬૦) 0. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy