________________
જ્યાં શબ્દોનો અંત આવે છે ત્યાં સ્વરનો પ્રારંભ થાય છે. જે વાત શબ્દમાં અધૂરી રહે છે તે સંગીતમાં પૂર્ણ થાય છે. હૃદયની ભાષા માત્ર સંગીત જ જાણે છે, કલાનો આ એક જ પ્રકાર પૃથ્વી અને સ્વર્ગ બંનેના સૌંદર્યનું ગાન કરે છે.
- અનુશ્રુતિ
જીવનમાં દરેકે દરેક ક્ષેત્રોમાં કે જીવનના પ્રશ્નોને સહેલાઈથી અને તે સાચી રીતે હલ કરવા કોઈપણ વિદ્યાર્થી માટે શિક્ષણ જ એટલું મહત્ત્વનું સાધન છે કે વિદ્યાર્થીની દરેકે દરેક ક્ષમતાને તીવ્ર બનાવે.
- મહાત્મા ગાંધીજી
સાચું બોલવાના હજાર ફાયદાઓ છે, પણ એમાં સૌથી મોટો ફાયદો એ છે કે આપણે ક્યારે કોને શું કહ્યું એ યાદ રાખવાની જરૂર નથી.
- અનુશ્રુતિ.
જેમ ચોતરફનું બધું જ જળ વર્ષાકાળે સમેટાઈને આપોઆપ તળાવમાં આવી જાય છે, તે જ રીતે સજ્જન થવાનો નિર્ણય કરનાર પાસે આપોઆપ સદ્ગણો વહેતા આવે છે..
- રામચરિત માનસા
ધીરજ એક એવો ગુણ છે જે પોતની સાથે અન્ય અનેક ગુણોને ખેંચી લાવે છે. ઉતાવળ એક એવો અવગુણ છે જે પોતાની સાથે અનેક ગુણોને ખેંચી જાય છે.
- અનુશ્રુતિ
જીવનને બહુ જટિલ રીતે સમજવાની જરૂર નથી, એને બાળકની મુગ્ધતાથી કે ફૂલોના હાસ્યથી કે ખુલ્લા આકાશની નિખાલસતાથી માણી લેવાની જરૂર છે.
- અનુશ્રુતિ
(૨૧)
૨૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org