SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મનનો બધો મેલ ધોવાઈ જાય ત્યારે જ ઈશ્વરનાં દર્શન થાય છે. - રામકૃષ્ણ પરમહંસ જીવનમાં બીજાનું સારું ન થાય તો કાંઈ નહિ, પરંતુ બીજાનું ખરાબ ન કરાય તો પણ ઘણું છે. ઈશ્વર નિરાકાર છે પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અનુસાર . પોતાની શક્તિથી જુદા જુદા રૂપો ધારણ કરે છે. - દયાનંદ સરસ્વતી મારા હાથપગ હું ચલાવું, મારું કામ હું કરું, મારું જીવન હું જીવું, બીજાઓનું દોરેલું ચાલે એ બાળક, પવનની લહેરથી ઉડે ને બેસે એ સુકું પાંદડું, બીજાને તાલે નાચે એ મદારીનું માંકડું, માનવીને એ ન શોભે. - ફાધર વાલેસ સાસુ અને વહુ બંનેમાંથી કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. કારણ કે જે ક્ષણે એક સ્ત્રી વહુ બની તે જ ક્ષણે એ સ્ત્રી સાસુ બની. વહુ ન હતી ત્યારે સાસુ પણ ન હતી. નાના મોટાનો ભેદ માનીને જે સંઘર્ષ થતો હોય છે તે મિથ્યા છે, સમાનતાનો ભાવ જ બધા પારિવારિક સંઘર્ષનો ઉકેલ છે. - શ્રી ડોંગરેજી મહારાજ સરળતાથી જીવવામાં, સરળતાથી બોલવામાં, સરળતાથી વિચારવામાં ધર્મ, વિદ્યા અને ચારિત્ર્યનો વિજય છે. - ફાધર વાલેસ ( ૪ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy