SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. - રામકૃષ્ણ પરમહંસ આપણને ગ્રહણ કરવામાં મૃત્યુ પણ મગરૂર બને એવું કંઈક કરીએ. આ કામ અઘરું છે પણ કરવા જેવું છે. આપણે માણસ છીએ, ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે. પણ હંમેશની બેદરકારી એ ગુનો જ છે. ખોટા રંગો વધુ ચમકે છે, એવું જ ખોટા માણસોનું છે. આખી દુનિયાનો ભાર માથા પર ન રાખો. જરા હસો, દુનિયા જરૂર હળવી થઈ જશે. (વીતરાગની સેવા એ વિષયોની સેવાની પ્રતિસ્પર્ધી છે. દુનિયાનાં દુઃખો આત્માને વધારે ઉપકારક બને છે કેમ કે ભગવાનને ભૂલાવનાર તત્ત્વોથી એ દૂર રાખે છે. દ્રવ્ય સ્તવ કરતાં ભાવ સ્તવ વધારે ઉત્કૃષ્ટ છે કારણ કે દ્રવ્યસ્તવ કરતો હોય પણ આજ્ઞાને વિરાધના કરતો હોય તો તરવાને બદલે ડૂબી જાય છે. અનુમોદના એ સુકૃતનું બીજ છે. ખાવાની ભૂખ વારંવાર ખાવાથી નથી મટતી પણ છોડવાથી મટે છે. (૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy