SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની સાચી કળા સુખની સગવડ મેળવવામાં નથી, દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે. 1 - અનુભવાનંદજી કર્મશક્તિ અને ઈચ્છાશક્તિ પ્રાપ્ત કરો, કઠિન પરિશ્રમ કરો તો તમે નિશ્ચિતરૂપે લક્ષ્ય ઉપર પહોંચી જશો. - સ્વામી વિવેકાનંદ જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે. કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહિ. - સેનેકા (સૌથી મોટો દોષ, કોઈ દોષનું ભાન ન હોવું તે છે. - કાબાંદીલા (આળસુ માનવીને હંમેશા અસંતોષ રહે છે. - અનુશ્રુતિ (કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. - હિતોપદેશ જે પોતાની જાત પર અંકુશ રાખી શકતો નથી તે કદીયે સ્વતંત્ર માનવી બની શકતો નથી. - પાયથાગોરસ | હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની રહેશે. - લોકમાન્ય તિલક (૧૪૫ ) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy