SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જે પુરપાટ દોડે છે, તે જ પડે છે. ધીરા ને છતાં મક્કમ કદમ ભરનાર પડતો નથી. દરેક મહત્ત્વાકાંક્ષા સાથે ધૈર્ય અનિવાર્ય છે. - શો-ડેસ કોઈના ય આત્માને દુઃખ ન પહોંચાડવું એ સર્વશ્રેષ્ઠ માનવધર્મ છે. ગૌતમ બુદ્ધ મહાન બનીને મહાનતાના અહંકારથી એકાકી રહેવા કરતા, માનવ બનીને નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને તો સાર્થકતા દેખાય છે. - ટોલ્સટોય હું સૌથી વધુ તો ઈશ્વરથી જ ડરું છું, પરંતુ બીજા નંબરે એવા લોકોથી ડરું છું કે જેઓ ઈશ્વરથી ડરતા નથી. - શેખ સાદી - ક્ષમા કેવી રીતે આપી શકાય તે કેવળ શૂરવીર જ જાણે છે, ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી. સરદાર વલ્લભભાઈ પટેલ W બહારના આનંદથીય અધિક આનંદ મનુષ્યના હૃદયમાં છે. જો જરાક ગહન થઈ ડૂબકી લગાવે તો તે પોતાનામાં જ પરમ શાંતિ પામી શકે છે. - સંત કબીર Jain Education International મનુષ્યના તમામ પ્રકારના ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ પરિશ્રમ અને પુરૂષાર્થ છે. પરિશ્રમ અને પુરૂષાર્થ જે આશીર્વાદ આપે છે તેવા આશિષ કદાચ કોઈ આપી શકતું નથી. - મહર્ષિ કર્વે ૧૩૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy