SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્ખાઓ દ્વારા પોતાની પ્રશંસા સાંભળવાને બદલે, બુદ્ધિશાળીઓ દ્વારા તિરસ્કાર વધુ ફાયદાકારક છે. - બાઈબલ સમયની રેખાનું વર્તુળ બની ગયા પછી આરંભને શોધી શકાતો નથી એટલે પ્રારંભ જ શુભ સંકલ્પની રળિયામણી ઘડી છે. - અનુશ્રુતિ જગતમાં જે કંઈ સુંદર છે તેને હું ચાહું, અને જે સુંદર નથી તેને ચાહી ચાહીને સુંદર બનાવું એવા આશિષ આપો હે પ્રભુ. - સુંદરમ્ જીવન સ્વપ્ર નથી. હકીકત છે. છતાંય વધુમાં વધુ લોકો એને સ્વપ માને છે એ પણ હકીકત છે. - ખલિલ જિબ્રાન સત્યનો આદર કરવાથી હરિશચંદ્ર થવાય કેનથવાય પણ સાર્વત્રિક રીતે અરધો પરિશ્રમ તો ઓછો થઈ જાય છે.' - રામકૃષ્ણ પરમહંસ (દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ. - ટ્વેદ જે ખરો પ્રભુભક્ત છે તે મુક્તિ ઈચ્છતો નથી.મનુષ્યજન્મનો આદર કરીને પુનઃ પુનઃ આ રમ્ય પૃથ્વી પર અવતરવાની ઈચ્છા રાખે છે. - નરસિંહ મહેતા (૧૩૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy