SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખવિનાનું ક્ષણિક સંતોષ ખાતરનું ખાઉધરાપણું આ ત્રણેય ભલે થોડો સમય આનંદ આપે પણ સરવાળે તો હાનિકર્તા છે. - કન્ફયુશિયસા ઉપવાસ સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર રાખવો મુશ્કેલ છે. મૌન સહેલું છે પણ સંયમ જાળવીને બોલવું અઘરું છે. - વિનોબા ભાવે તમે હસશો તો સંસાર હસી પડશે, પણ તમે રડશો તો તમારે એકલાએ જ રડવું પડશે કેમ કે આ મૃત્યુલોક કેવળ હાસ્યની જ ઈચ્છા રાખે છે. રૂદન તો એની પાસે ખુદ પોતા પૂરતું જ છે. - એલન વ્હીલર વિલકોકરા જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈએ નિરાશ થવું નહિં. - ઈરાસમસ મોટા શાસ્ત્રજ્ઞ, બહુમુલ શંકાઓનું નિરાકરણ કરનાર પંડિત પણ લોભતરા થઈને દુઃખી બને છે. - નીતિ માનવી પોતે જ પોતાના આનંદનો નિર્માતા છે. - થોરો આશા અમર છે. તેની આરાધના કદી નિષ્ફળ જતી નથી. - ગાંધીજી ( ૫ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy