SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ હદયની વિશાળતાનો આદર્શ જોવા મળે છે. આ ગુણ જીવનમાં ઉતારી તુચ્છતા, સંકુચિતવૃત્તિ આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઇએ. (૫) રોહિણેયકુમારે તત્ક્ષણ પોતાના દોષોનું શોધન કરી જીવન અને વિચારોને તીવ્ર ગતિથી પરિવર્તિત કર્યા. આપણે પણ માન, અપમાન, ઇર્ષા-દ્વેષ, હઠાગ્રહ-કદાગ્રહ આદિ વૃત્તિઓનું ઉપશમન કરી જીવનમાં પરિવર્તન લાવવું જોઇએ. એમ કરવું તેમાંજ મનુષ્ય જીવનની સાર્થકતા છે. (૬) આપણા જીવન વ્યવહારમાં ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ, ક્ષમા, વિચારોની પવિત્રતા, પાપી અને ધર્મી પ્રત્યે સમાન વ્યવહાર - ભાવ આવે ત્યારે જ રોહિણેયકુમાર જેવા પવિત્ર આત્માઓનાં ઉદાહરણ સાંભળવાનો સાચા અર્થમાં લાભ થયો કહેવાય. (0) ગૃહસ્થ જીવન હોય કે સંયમી જીવન હોય, આપણાં જીવનમાં શાંતિ, પ્રેમ, પ્રમોદ ભાવના, મૈત્રી ભાવના, કરુણાભાવના, મધ્યસ્થ ભાવના અને સમભાવની વૃદ્ધિ થવી જોઇએ. કોઇ પણ વ્યકિત પ્રત્યે અમૈત્રી, અપ્રેમ, વિષમભાવ હોય તો સાચા અર્થમાં ધર્મનું પરિણમન થતું નથી. (૮) તપસ્વી રોહિણેયમુનિના જીવનમાંથી સરળતા, પાપભીરુતા, ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતાનો બોધપાઠ લેવા જેવો છે. દેહને ધર્મનું સાધન સમજી જીવનની અંતિમ વેળાએ વિવેક સહિત સંથારો કરવાની શિક્ષા પણ અનુમોદનીય છે. (૯) મહાપુરુષોના સત્સંગથી વ્યસની ચોર પણ પોતાના કુકૃત્યને છોડી સજજન બની શકે છે. (૧૦) માનવીનું મન એવું છે કે તે સ્વર્ગનું અને નરકનું સર્જન કરે છે. ઊંચી ભાવના અને ઈષ્ટ વિચારોથી તે ઊંચું સ્વર્ગ સર્જે છે, જ્યારે નિકૃષ્ઠભાવના તેમજ અનિષ્ટ વિચારોથી નિમ્ન નરક સર્જે છે. (૧૧) ધર્મી આત્મામાં ઔદાર્ય(ઔચિત્ય), દાક્ષિણ્ય(વિવેકયુક્ત વ્યવહાર); પાપ જુગુપ્સા(પાપ પ્રત્યે અણગમો), નિર્મળ બોધ(પરિણામોમાં નિર્મળતા), જન પ્રિયતા(સૌમ્ય પ્રકૃતિ) હોવી જરૂરી છે. આ ભૂમિકા આવ્યા પછી આત્માનું ઉર્ધ્વગમન સરળ બને છે. દુહા ૨૨ ઉપજઇ નહી સંસારમાહા, રોહણીઉ રિષિરાય; ઉત્તમ નર જાણી કરી, રીષભ કવી ગુણગાય ... ૩૨૮ અર્થ: રોહિણેય મહર્ષિ હવે પુનઃ સંસારમાં (જન્મ-મરણરૂપી શૃંખલામાંથી મુક્ત થવાથી) ઉત્પન્ન નહીં થાય. રોહિણેયકુમાર એક ઉત્તમ મહાપુરુષ છે, એવું જાણી ઋષભદાસ કવિ તેમના ગુણકીર્તન કરે •..૩૨૮ ઢાલ : ૧૦ કલશ કાવ્ય (દેશી કહાણી કરણિ તુઝ ગુણ સાચો) ગુણગાઉ રોહણીઆ કેરા, વીર તણો સષિ જેહો જી; વશન નીવારી, સંચમ ધારી, નીચ ગતિ ગામી તેહો જી; ગુણ ગાઉં રોહણિઆ કેરા, વીર તણો સષિ જેહો જી.. આંચલી ૩૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy