SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ થતાં કુદેવોની શ્રદ્ધા આપોઆપ દૂર થાય છે. આવી શ્રદ્ધા દ્રવ્યલિંગી મુનિઓ તથા અભવ્ય જીવોને પણ હોય છે. અરિહંતની શ્રદ્ધા થતાં સમ્યકત્વ હોય અથવા ન હોય પરંતુ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા વિના તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શન ન હોય. સાત તત્ત્વોમાં પણ અરિહંતાદિનું શ્રદ્ધાન છુપાયેલું છે. તત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષ તત્ત્વ સર્વોત્કૃષ્ટ છે. મોક્ષ અરિહંત અને સિદ્ધનું લક્ષણ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. સંવર અને નિર્જરાના ધારકમુનિરાજ છે. મુનિરાજ ઉત્તમ છે તેથી ગુરુનું શ્રદ્ધાન થયું. આશ્રવ એટલે રાગ-દ્વેષના શુભાશુભ પરિણામ. રાગરહિત ભાવનું નામ અહિંસા છે. તે ઉપાદેય છે તેથી તેની શ્રદ્ધા કરવી તે ધર્મશ્રદ્ધા છે. આ પ્રમાણે ઉપરોક્ત વ્યાખ્યાનમાં શબ્દ ફેર છે પણ અર્થભેદનથી. ભગવદ્ ગીતા'માં શ્રી કૃષ્ણ શ્રદ્ધાના સંબંધમાં કહે છે: "सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वां सर्वपापेभ्यो मोचयिष्यामि मा शुचः।। અર્થ: હે પાર્થ! તું સર્વ ધર્મોનો ત્યાગ કરી મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્તિ આપીશ માટે ગભરાઈશ નહીં. અર્થાત્ હે પાર્થ! તું મારામાં અવિચલ શ્રદ્ધા રાખ. ધર્મશ્રદ્ધા રાખનાર વેશ્યા અને ઈશુને શરણે જનાર ચોરની મુક્તિ થઈ હતી; એવું ખ્રિસ્તી ધર્મની કથામાં પણ કહેવાયું છે. પ્રત્યેક ધર્મ સમ્યકત્વનો ઉપદેશ આપી મિથ્યાત્વનો ત્યાગ કરવાનું કહે છે. અંતઃકરણની નિર્મળતા, સમજપૂર્વકની શ્રદ્ધા અને તત્ત્વની અભિરૂચિ તે સમ્યક્ત્વ છે. પ્રકાર : સમ્યગદર્શનની ઉત્પત્તિનું કારણ દર્શાવતાં તત્ત્વાધિગમ સૂત્ર'ના કર્તા વાચક ઉમાસ્વાતિજી કહે છે-“તનિધિગમાદ્ધ / સમ્યગદર્શન એપ્રકારે થાય છે ૧) નિસર્ગ સ્વાભાવિક ૨) અધિગમઃ શ્રવણ ઈત્યાદિપર નિમિત્તથી. જૈનદર્શનમાં સમકિત પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. રૂઢાર્થમાં જેઓ જૈન ધર્મનુયાયી હોય તે સમકિતી કહેવાય અને અન્ય ધર્માનુયાયી મિથ્યાત્વી કહેવાય તે ખરું નથી. જેની દષ્ટિમાંથી વિષમતારૂપી ઝેર નીકળી જતાં તત્ત્વાર્થની રુચિ થાય તે સમ્યગદષ્ટિ છે અને તેવી રુચિ ધરાવનાર સમકિતી છે. શ્રદ્ધાનું ફળઃ જૈનદર્શનમાં કહ્યું છે : સહભાગો નીવો તુવેરૂં 3વરામ કાળા અર્થાત્ શ્રદ્ધા કરનારો જીવાત્મા અજરામર સ્થાનને પામે છે, તેમ ગીતામાં શ્રદ્ધાવાનને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પરમધામની પ્રાપ્તિ થાય છે. આચાર્યવર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્રમાં કહ્યું છેઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy