SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ છે, તેથી બંને મળીને પૂર્ણચંદ્રાકાર થાય છે. તે બંનેના કુલ ત્રણસો વિમાનો છે. ત્યાંથી એક રજુ ઉપર (સમભૂમિથી ૬ રજુની ઊંચાઈએ) ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે. તેમાં પ્રથમ ત્રિકમાં ૧૧૧ વિમાનો, બીજી ત્રિકમાં ૧૦૦ વિમાનો અને ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાનો છે. નવ રૈવેયકના કુલ ૩૧૮ વિમાનો છે. ત્યાંથી એક રજુ ઉપર (સમભૂતલ ભૂમિથી છ રજુની ઊંચાઈએ) પાંચ અનુત્તર વિમાનો છે. તેના મધ્યમાં ૧ લાખ યોજન વિસ્તૃત ગોળાકારે સર્વાર્થસિદ્ધ વિમાન અને ચાર દિશામાં ચાર અનુત્તર વિમાનો ત્રિકોણાકારે છે. દેવશય્યા અને દેવોનો ઉપધાત” માણવક નામના ચૈત્ય સ્તંભના પશ્ચિમ ભાગમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજના જાડી, સર્વમણિમય સ્વચ્છ, મનોહર એક મોટી મણિપીઠિકા છે.તેના ઉપર મોટી રમણીય દેવશય્યા છે. આ દેવશય્યાના પડેવાયા (પાયા નીચે મૂકાતો લાકડાનો ટુકડો) સુવર્ણના અને પાયા મણિના છે. તેના માત્ર (ઈસો) લાલ સુવર્ણના છે. તેની સાંધ, વજરત્નમય છે. તેના વાણ (ઢોલિયામાં ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, તળાઈ - ગાદલું રજતમય, ઓશિકા લોહિતાક્ષ રત્નના અને તકિયા તપનીય સુવર્ણના છે. દેવશય્યામાં ગાદલા છે. તેની બંને બાજુ તકિયા રાખેલા હોવાથી દેવશય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી ઊંડી છે. જેમ ગંગા કિનારાની રેતીમાં પગ મૂકતા પગ અંદર સરકી જાય તેમ આ દેવશય્યામાં બેસતા તે નીચે નમી જાય છે. તે લાલ સૂતથી ઢાંકેલી છે તેનો સ્પર્શ રૂ, માખણ અને આકડાના રૂજેવો સુકોમળ છે. આ દેવશય્યામાં દેવ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાએ ઉત્પન્ન થાય છે. કોઈ પણ દેવની ઉત્પત્તિ ઉપપાત સભામાં રહેલી દેવશય્યામાં થાય છે. દેવોને ઉપપાત જન્મ હોય છે. તેઓ વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી જન્મ ધારણ કરી પોતાનું શરીર બનાવે છે. તેઓ અંતર્મુહૂર્તમાં પાંચે પર્યાપ્તિઓ પૂર્ણ કરી પોતાની સંપૂર્ણ અવગાહના પ્રાપ્ત કરે છે. તેમનું અંતર્મુહૂર્તમાં રૂપ, ક્રાંતિ, તેજ ખીલી ઉઠે છે. દેવોમાં મનુષ્યની જેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા ન હોય. તેઓ અંતર્મુહૂર્તમાં પૂર્ણ યૌવન પ્રાપ્ત કરે છે. તે જ અવસ્થા જીવનપર્યત રહે છે. નવા ઉપસ્થિત થયેલા મહર્બિક (માલિક) દેવનો અભિષેક કરવા આભિયોગિક (સેવક) દેવો અભિષેકની સમગ્ર સામગ્રી ઉપસ્થિત કરે છે. દેવનું સંધિરૂપ કાર્ય અત્યંત સૂક્ષ્મ હોય છે. અભિષેક વિધિ પૂર્ણ થયા પછી ઉપસ્થિત દેવ-દેવીઓ વિજય દેવ માટે શુભેચ્છા સૂચક શબ્દોનો જયનાદ કરે છે. તેઓ દીર્ઘકાળ પર્યત દિવ્ય સુખો ભોગવો તેવી ભાવના પ્રગટ કરે છે. ત્યાર પછી વિજયદેવ અલંકાર સભામાં જાય છે. ત્યાં પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે છે. સામાનિક દેવોની આજ્ઞાથી આભિયોગિક દેવો આગંતુક નવા દેવા માટે દિવ્ય વસ્ત્રો અને અલંકારો લાવે છે, જે વિજયદેવ ધારણ કરે છે. દેવેન્દ્રો ચક્રવર્તીની જેમ મસ્તકે ચૂડામણિ રત્ન ધારણ કરે છે. ત્યાર પછી દેવ વ્યવસાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy