________________
દેવ વિમાન,
ભવનપતિ દેવોનો નિવાસ ભવનમાં હોય છે. તેનો આકાર અંદરથી ચોરસ અને બહારથી ગોળ હોય છે. વાણવ્યંતરના નગર હોય છે. જ્યોતિષના નગર અને વિમાન બંને હોય છે. વૈમાનિક વિમાનમાં જ રહેતા હોવાથી વૈમાનિક કહેવાય છે.
વૈમાનિક ના ૮૪,૯૭,૦૨૩ વિમાન છે. • એ સર્વ વિમાન રત્નના બનેલા અત્યંત તેજસ્વી યુતિવાળા વિમાન હોય છે. એ વિમાનની અંદર અનેક પ્રકારના આમોદ પ્રમોદના સાધનો હોય છે. બાગ-બગીચા, પાણીની સુંદર વાવડીઓ (સ્વિમિંગ હોજ), નૃત્ય-નાટક આદિ કરવા માટે વિવિધ રંગમંચ, દેવોની દેવ શય્યા, બેસવા માટે એક ભદ્રાસનો આદિ અનેક પ્રકારની સુવિધાથી સુસજ્જ એ દેવ વિમાન હોય છે. એકએક વિમાનની અંદર અનેકદેવો રહે છે.
દેવલોકમાં બાદર અગ્નિ કે ચંદ્ર સૂર્યનો પ્રકાશ નથી પરંતુ દેવોના વિમાન વસ્ત્રાભૂષણો અને ક્ષેત્રગત શુભપુદ્ગલોનો દિવ્યપ્રકાશ હોય છે.
વૈમાનિકદેવો ગમનાગમન કરવામાં પોતાના મૂળ વિમાનનો ઉપયોગ નથી કરતા પરંતુ વૈક્રિય શક્તિથી વિમાન તૈયાર કરીને તેનો ઉપયોગ કરે છે. * જ્યોતિષીના વિમાનની ધ્વજામાં તે સર્વના પોત પોતાના ચિહ્ન હોય છે. સૂર્યના વિમાનમાં સૂર્યનું, ચંદ્રના વિમાનમાં ચંદ્રનું એમ દરેકને પોત પોતાના નિશાન હોય છે.
બાર દેવલોકના દેવો, ત્રણ પ્રકારના કિલ્વિષિક દેવો, નવલોકાંતિક દેવો, નવ રૈવેયકના દેવો તથા પાંચ અનુત્તર વિમાનના દેવોની ગણના વૈમાનિક દેવોમાં કરવામાં આવે છે.
" OS
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org