SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ...૨૦૬ મેં વીસ સ્થાનક તપની આરાધના કરી હતી. મેં કષાયોનો ઉપશમ કરી, રીસામણા(હઠ) છોડી દીધાં હતાં. મેં સદ્ગુરુ પાસેથી આલોચના લીધી હતી, તેથી હું દેવગતિમાં ઉત્પન્ન થયો છું....૨૦૩ મેં ચાર કષાયો, જે અતિભૂંડા છે તેનો ત્યાગ કર્યો હતો. મેં અઢાર પાપસ્થાનકને આત્માથી અળગા કર્યા હતા. મેં શ્રાવકનાં એકવીસ ગુણો ધારણ કર્યા હતા. હું નિત્ય ધ્યાન અને સ્વાધ્યાય કરતો હતો. ...૨૦૪ આ ઉપરાંત પણ મેં અનેક જાતના પુણ્યો કર્યા હતાં. આ સર્વ પુણ્યોને હું વર્ણવી શકું એમ નથી.” એવું સાંભળી દેવાંગના જેવી સ્ત્રીએ તે સમયે ત્યાં કહ્યું “સ્વામીનાથ ! (આપના સુકૃત્યોનું વર્ણન સાંભળી અત્યંત પ્રસન્નતા થાય છે.) હવે તમારા દુષ્કૃત્યોને યાદ કરી તેની વાત કરો.” ૨૦૫ મહામંત્રી અભયકુમારે દેવી સ્વરૂપી બનેલી સ્ત્રીઓને પ્રથમથી જ શીખવી રાખેલ, તે પ્રમાણે તે સ્થાને બુદ્ધિનો પ્રપંચ તે સ્ત્રીઓ રચે છે પણ રોહિણેયકુમારને કોઇ છેતરી શક્યા નહીં. ‘કોઈ કાળે તે છેતરાયતેવો નથી' (એવું અભયકુમાર વિચારે છે) (રોહિણેયકુમાર ખૂબ ચાલાક હતો. તેણે પુનઃ સુકૃત્યો વર્ણવતાં કહ્યું, “ખરેખર! કહું તો મેં સદાય જિન સાધુનો સત્સંગો કર્યો છે. મને ભૂલથી પણ પાપનો રંગ સ્પર્શયો નથી.” ત્યારે દેવી સ્વરૂપે રહેલી સ્ત્રીએ પુનઃ ઉમળકાભેર પૂછ્યું, “અહો સ્વામીનાથ !તમે ભૂલથી કંઈકમલિન કરણી તો કરી જ હશે? ...૨૦૦ સ્વામીનાથ ! તમે યાદ કરો અને અમને કહો. તમે પ્રબળ આવેશમાં આવી ક્યારેક જીવહિંસા કરી હશે, અસત્યવચન બોલ્યા હશો. વળી, ક્યારેક અદત્તધન પણ આંચકી લીધું હશે. પરસ્ત્રીગમન જેવા વ્યભિચારના પાપકર્મોપણ થઈ ગયા હશે નહીં?” ..૨૦૮ રોહિણેયકુમારે સહેજ ઊંચા અવાજે કહ્યું, “અરે દેવીઓ ! શું વારંવાર એક જ વાત પૂછો છો? શું પાપાચારી આત્મા કદી દેવલોકમાં સ્થાન મેળવી શકે? શું પાંગળો પર્વતારોહણ કરી શકે? શું આંધળો ચંદ્રમાનું તેજ નીરખી શકે? (હાથ હૂઠો કદી મહાસાગર તરી શકે?) ...૨૦૯ મેં સદાય સુપાત્રદાન આપ્યું છે તેથી જ હું અમરવિમાનમાં ઉત્પન્ન થયો છું. મેં મુક્તિરૂપી લક્ષ્મીને મેળવવા માટે ઉત્તમ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું છે. તે તમે અવધારો” ..૨૧૦ (પ્રતીહારી અને દેવીઓના ભોળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયાં. તે કોઈ રીતે કળાતો નહતો.) રોહિણેયકુમાર કોઈ રીતે બોલથી બંધાયો નહીં તેની પાસેથી કોઈ વાત કઢાવી શક્યા નહીં) ત્યારે છડીદારે આ વાત મહામંત્રી અભયકુમારને જણાવી. મહામંત્રી અભયકુમારે તે સમાચાર (વિગત) મહારાજા શ્રેણિકને જણાવતાં કહ્યું, “મહારાજ ! આ માણસને નિદોર્ષ ગણી છોડી દો. તે દંડને યોગ્ય ...૨૧૧ તેનું ચોરીનું દુષ્કૃત્ય (નોખા નોખા ઉપાયો કરવા છતાં) સિદ્ધ થયું નથી તેથી નીતિધર્મ અનુસાર વધ કરવાથી રાજધર્મનું ઉલ્લંઘન થશે.”મહારાજા શ્રેણિકે રોહિણેયકુમારને છોડી મૂક્યો. ત્યારે અભયકુમારપ્રેમથી બોલ્યા. નથી. ...૨૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy