SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ એવામાં બાજુમાં ઉભેલી રૂપવતી નવયૌવના દેવાંગનાનો પાઠ ભજવતી, આશ્ચર્ય છલકાતાં ઊંચા સ્વારે, હર્ષાવેશમાં બોલી, “હે મહાપુરુષ! આપ આ અવર્ણનીય દેવ વિમાનમાં ઉત્પન્ન થયા છો. અમે આપની દાસીઓ છીએ. આપને અમારા સ્વામી બનાવી અમે સૌભાગ્યશાળી બન્યા છીએ. અમે તમારો પડયો બોલ ઝીલવા તત્પર છીએ.” વિસ્મયથી સ્તબ્ધ બની રોહિણેયકુમાર મૂંગો મૂંગો જોતો જ રહ્યો. ત્યાર પછી દેવાંગનાઓએ પ્રેમનો અભિનય કરતાં દેવભવની આચાર મર્યાદાનું વિધાન કરાવતાં પૂર્વજન્મનાં કરેલાં સુકૃત્યો અને દુષ્કૃત્યો વિશે પૂછ્યું. રોહિણેયકુમારે કહ્યું, “સુકૃત-દુષ્કૃતનું વર્ણન શામાટે?” દેવાંગનાઓએ કહ્યું, “દેવ! સુકૃત્યોનું વર્ણન કરવાથી અમે તે કાર્યોનાં ગુણકીર્તન કરશું અને દુષ્કૃત્યોનું વર્ણન આપના મુખેથી થશે ત્યારે તે પાપસ્વતઃ નષ્ટ થઈ જશે.” રોહિણેયકુમારે વિચાર કર્યો, પિતાને આપેલા વચનનો ભંગ મારાથી થયો છે. આ ઉપરાંત ચોરીના અનેક અપરાધો મારાથી થયા છે તો શું હું તેનું વર્ણન કરું? નહીં, નહીં. આ તો મને ફસાવવાની મહામંત્રીની કોઈ ચાલ લાગે છે. મારે ખૂબ સાવચેત રહેવું પડશે.” પૂર્વભવનાં પુણ્ય-પાપનું નિવેદન કરવાનો પ્રસંગ આવતાં રોહિણેયકુમાર દુવિધામાં પડયો. શું હું ખરેખર દેવભવમાં ઉત્પન્ન થયો છું? કે પછી મને જકડીને મારો વૃત્તાંત મારા મુખેથી બોલાવવા રચાયેલું કોઈનવું ષડયંત્ર છે? મારે તથ્યાતધ્યનો નિર્ણય શી રીતે કરવો?’ રોહિણેયકુમારને મૌન જોઈ દેવાંગનાઓએ કહ્યું, “દેવ! શીઘ્રતા કરો. અભિષેકનું મુહૂર્ત વહી જાય છે.” | મંથન અને મથામણની ઘણી પળો પસાર થયા પછી અચાનક રોહિણેયકુમારને ભગવાન મહાવીર સ્વામીના હદયસ્થ થયેલાં વચનો યાદ આવ્યાં. તેણે મનોમન ખુશ થતાં નિર્ણય કર્યો કે, ભગવાનના વચન અનુસાર દેવોનું જેવું વર્ણન છે તેવું અહીં દશ્યમાન થશે તો હું જેવું સત્ય હશે તેવું સત્ય કહીશ. જો અભયકુમારે મને પકડવા માટે કોઈ ષડયંત્ર રચ્યું હશે તો હું પણ તેનો ઉત્તર માયાકપટસહિત જ આપીશ.” હવે રોહિણેયકુમાર ભગવાનના શ્રીમુખેથી શ્રવણ કરેલ દેવગતિના ભાવોનું સ્મરણ કરે છે. તે વર્તમાન પરિસ્થિતિ સાથે તુલનાત્મકદષ્ટિએ જોવા લાગ્યો. તેના સંદર્ભમાં કવિએ ઢાળ-૦થી ૧૦માં દેવગતિનું સૂક્ષ્માતિસૂક્ષ્મ વર્ણન કર્યું છે. અહીં કવિ આગમ શાસ્ત્રના જાણકાર હતાં, એવુંવિદિત થાય છે. દુહા : ૯ નાટિકનીતિનરખીઇ, સુરમા ઘણો વવેક; વીરવચન સંભારીઉં, સુરનાં સુખ અનેક અર્થ : રોહિણેયકુમાર હવે ધ્યાનપૂર્વક દેવ-દેવાંગનાઓને નીરખવા લાગ્યો. દેવતાઓ ઘણાં વિવેકી હોય છે. તેમનું સુખ અનેકગણું હોય છે. છે. ૧૪૩ •..૧૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy