________________
o૫
ભગવંતની વાણીના ૩૫ ગુણો ઃ (શ્રી સમવાયાંગ સૂત્ર તથા અભિધાન ચિંતામણિ નામમાલા, ગા.૦૨,૦૩,પૃ.૧૩)
(૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજન પ્રમાણ સંભળાય. (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર (૫) શબ્દ વડે સ્પષ્ટ (૬) સંતોષકારક (6) દરેક મનુષ્ય એમ સમજે કે પ્રભુ મને જ કહે છે. (૮) પૃષ્ટ અર્થવાળી. (૯) પૂર્વાપર વિરોધ રહિત (૧૦) મહાપુરુષને છાજે તેવી (૧૧) સંદેહ વગરની (૧૨) દૂષણરહિત અર્થવાળી (૧૩) કઠણ વિષયને સહેલો કરે એવી. (૧૪) જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય લેવી. (૧૫) પદ્રવ્ય અને નવ તત્ત્વને પૃષ્ટ કરે એવી. (૧૬) પ્રયોજન સહિત (૧૦) પદ રચના સહિત. (૧૮) છ દ્રવ્ય-નવ તત્ત્વ પટુતા સહિત. (૧૯) મધુર (૨૦) પારકો મર્મ ન જણાઈ આવે એવી ચતુરાઈવાળી (૨૧) ધર્મ અને પ્રતિબદ્ધ (૨૨) દીપ સમાન પ્રકાશ-અર્થ સહિત (૨૩) પરનિંદા અને પોતાના વખાણ રહિતની (૨૪) કર્તા, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત (૨૫) આશ્ચર્યકારી (૨૬) વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં જણાય (૨૦) ધૈર્યવાળી (૨૮) વિલંબરહિત (૨૯) ભ્રાંતિરહિત (૩૦) સર્વ પોતપોતાની ભાષા સમજે એવી (૩૧) શિષ્ટબુદ્ધિ ઉપજાવે એવી (૩૨) પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે (૩૩) સાહસિકપણે બોલે. (૩૪) પુનરુક્તિ દોષ વગરની (૩૫) સાંભળનારને ખેદ ન ઉપજે એવી.
તીર્થકર અઢાર દોષોથી રહિત હોય છે. (૧) અજ્ઞાન (૨)ક્રોધ (૩)મદ (૪)માન (૫)લોભા (૬) માયા (0) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શોક (૧૧) અલિક(અસત્ય) (૧૨) ચોરી (૧૩) મત્સર (૧૪) ભય (૧૫) હિંસા (૧૬) પ્રેમ (૧૦) ક્રીડા (૧૮) હાસ્ય.
શ્રી માનતુંગસૂરિજી ભક્તામર સ્તોત્ર', કડી-૨૦માં પ્રભુને સર્વગુણ સંપન્ન કહે છે:
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैः। त्वं संश्रितो निरवकाशतया मुनीश।। તરુપત્તિવિવિઘાશ્રયનતિગર્વ |
સ્વપ્નાંતરેofપન વિલિતોષસિા. અર્થ: હેમુનીન્દ્રા અન્ય કોઈ સ્થાને જગ્યા ન મળવાથી સર્વગુણો તમારામાં આવીને રહ્યાં છે અને વિવિધ જીવોમાં આશ્રય મેળવીને ગર્વિષ્ઠ થયેલા દોષોએ તો તમને સ્વપ્નમાં પણ જોયા નથી તેમાં અહીં શું આશ્ચર્ય? (કારણકે તમે સર્વગુણયુક્ત અને સર્વદોષમુક્ત વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા છો!)
| તીર્થંકર પરમાત્મા દેશના આપે ત્યારે દેવો સમવસરણની રચના કરે છે. તેઓ અષ્ટ પ્રાતિહાર્યોરચે છે. અનેકાન્ત જયપતાકા' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પ્રચલિત શ્લોકમાં આઠ પ્રાતિહાર્યો વર્ણવ્યા છે.
31શોવ વૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિ: દ્રિવ્યધ્વનિશ્ચમરમાસનંવ
મામંડનંદુત્વમરતપત્ર, સત્ક્રાતિહાર્યાનિકેશ્ચરાઇમ્II(નવલનિત્ય સ્વા, પૃ.૧૧૦) અર્થ: ' જિનેશ્વર ભગવંત આઠ પ્રતિહાર્યોથી યુક્ત છે. (૧) અશોક વૃક્ષ (૨) દિવ્ય પુષ્પ વૃષ્ટિ (૩) દિવ્ય ધ્વની (૪)ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૦) દેવ દુંદુભિ (૮) છત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org