________________
૨૬ ૨.
સંબોધ પ્રકરણ માન્યતા. આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતાવાળો એવો અર્થ થાય. એકવાર પણ આ ગુણસ્થાનને પામેલો આત્મા વધારેમાં વધારે દેશોના અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં અવશ્ય મોક્ષમાં જાય છે. આ ગુણસ્થાને રહેલા જીવો અરિહંતને જિનેશ્વરને જ સુદેવ, પંચમહાવ્રતધારી સુસાધુને જ સુગુરુ, અને જિનેશ્વરે કહેલા ધર્મને જ સુધર્મ માને છે.
(૨) સાસ્વાદન-સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતાં પહેલાં થતો સમ્યક્ત્વનો કંઈક ઝાંખો અનુભવ બીજું ગુણસ્થાન છે. આસ્વાદનથી (=સ્વાદથી) સહિત તે સાસ્વાદન. જેમ કોઈ માણસ ખીરુનું ભોજન કર્યા પછી ઊલટી થતાં અસલ ખીરના જેવો મધુર સ્વાદ અનુભવતો નથી, તથા ખરાબ સ્વાદ પણ અનુભવતો નથી, પણ ખીરના જેવો કંઈક અવ્યક્ત સ્વાદ અનુભવે છે; તેમ અહીં સાસ્વાદન ગુણસ્થાને રહેલો જીવ સમ્યકત્વનો અનુભવ કરતો નથી, તેમ મિથ્યાત્વનો પણ અનુભવ કરતો નથી; કિંતુ સમ્યકત્વની ઝાંખી અનુભવે છે. ત્યાર પછી તુરત એ આત્મા અવશ્ય મિથ્યાત્વદશાને પામે છે.'
આ ગુણસ્થાનક ઉપશમસમ્યકત્વ અને ઉપશમશ્રેણિથી પડીનેમિથ્યાત્વને પામતાં પહેલાં હોય. તથા ભવચક્રમાં પાંચ જ વાર ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય અને એથી આ ગુણસ્થાનક પણ પાંચ જ વાર પ્રાપ્ત થાય.
(૩) મિશ્ર શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, કિંતુ તે બેની વચલી અવસ્થા તે મિશ્ર ગુણસ્થાનક છે. જેમ જેણે “કેરી' એવો શબ્દ પણ સાંભળ્યો નથી તે જીવમાં કેરીના પૌષ્ટિકતા, મધુરતા, પાચકતા વગેરે ગુણો સંબંધી સાચી માન્યતા હોતી નથી, તેમ ખોટી માન્યતા પણ હોતી નથી, તેમ મિશ્ર ગુણસ્થાને રહેલા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેમાંથી એક પણ માન્યતા હોતી નથી.
પ્રશ્ન- ગુણસ્થાનોના વર્ણનમાં પહેલા ગુણસ્થાન પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યા વિના ચોથા ગુણસ્થાનનું વર્ણન કર્યું, પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યું. આનું શું કારણ? ૧. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી,
અનંતાનુબંધી કષાયોનો ઉદય થોડી જ વારમાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે. ૨. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય, પણ મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org