________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— ગુરુબુદ્ધિથી તેમને કરેલા વંદન-નમસ્કાર વગેરે અને તેમની નિશ્રામાં કરેલા યોગ-ઉપધાન વગેરે સઘળું ય નિષ્ફળ છે અને પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, અર્થાત્ વંદન વગેરે કરનારને પ્રાયશ્ચિત્ત આવે. (૧૬૪) जम्हा भणियं छे, अतिथक्केण रहियतित्थिलिंगीणं । पुरओ जं धम्मकिच्चं, विहियं पच्छित्तचउगुरुयं ॥ १६५ ॥ यस्माद् भणितं छेदे आस्तिक्येन रहिततीर्थिलिङ्गिनाम् ।
૨૫૦
पुरतो यद् धर्मकृत्यं विहितं प्रायश्चित्तचतुर्गुरुकम् ॥ १६५ ॥...........५०४ ગાથાર્થ— કારણ કે છેદગ્રંથમાં કહ્યું છે કે શ્રદ્ધાથી રહિત એવા શાસનના લિંગધારીઓની આગળ જે ધર્મ કાર્ય કર્યું હોય તે નિમિત્તે 'यतुर्गुरु' प्रायश्चित्त खावे. (१६५)
किइकम्मं च पसंसा, सुहसीलजणंमि कम्मबंधा य । जे जे पमायठाणा, ते ते उवबूहिया हुंति ॥ १६६ ॥
कृतिकर्म च प्रशंसा सुखशीलजने कर्मबन्धाय च ।
यानि यानि प्रमादस्थानानि तानि तानि उपबृंहितानि भवन्ति ॥ १६६ ॥ ५०५ ગાથાર્થ સુખશીલલોકને કરેલું વંદન અને પ્રશંસા કર્મબંધ માટે થાય છે. (કારણ કે તેમને વંદન વગેરે કરવાથી) તેમનાં જે જે પ્રમાદસ્થાનો છે તે તે પ્રમાદસ્થાનો પ્રશંસા કરાયેલાં થાય છે, અર્થાત્ તેમને વંદન કરવાથી તેમના પ્રમાદસ્થાનોની પ્રશંસા કરી ગણાય, અને એથી કર્મબંધ થાય. (૧૬૬)
एवं नाऊण संसरिंग, कुसीलाणं च संथवं । संवासं च हियाकंखी, सव्वोवाएहिं वज्जए ॥ १६७ ॥ एवं ज्ञात्वा संसर्गि कुशीलानां च संस्तवम् ।
संवासं च हितकाङ्क्षी सर्वोपायैः वर्जयेत् ॥ १६७ ॥ ............... ५०६ ગાથાર્થ આ પ્રમાણે જાણીને હિતકાંક્ષીજીવ કુશીલોના સંગનો, તેમની પ્રશંસાનો અને તેમની સાથે રહેવાનો સર્વ ઉપાયોથી ત્યાગ કરે छे. (१६७)
निह्नवअभव्वगाणं, जा किरिया मुद्धमोहसंजणिया । तारिसिया खलु किरिया, छउमत्थाणं नियडियाणं ॥ १६८ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org