________________
સંબોધ પ્રકરણ
૧૩૪
માછલાને જોઇને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનો વૃત્તાંત જાણીને તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. અહો ! મારા પિતાએ મને ધર્મ પમાડવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ હું ધર્મ ન પામ્યો. આથી અત્યારે આ સ્થિતિ પામ્યો છું. જો મેં ભાવથી જિનપૂજા-ભક્તિ કરી હોત તો મારી આ સ્થિતિ ન થાત. હવે માછલાના ભવમાં શો ધર્મ થાય ? કંઇ નહિ, જે થવાનું હતું તે થઇ ગયું. હવે આ ભવમાં પણ જેટલો ધર્મ થાય તેટલો ધર્મ કરી લઉં. પછી તેણે જલમાંથી બહાર નીકળીને અનશન કર્યું, ત્રણ દિવસ અનશન પાળી સમાધિથી મરીને તે જીવ દેવલોકમાં ઉત્પન્ન થયો.
અવધિજ્ઞાનથી પૂર્વભવની વિગત જાણીને દેવલોકમાં રહેલી શાશ્વતી જિનપ્રતિમાઓની વિશેષ રૂપે ભક્તિ કરવા લાગ્યો. એકવાર તેણે સમવસરણમાં બિરાજમાન જિનની પાસે આવીને બાર પર્ષદા સમક્ષ જિનને કહ્યું: હે પ્રભુ ! આપની મૂર્તિ પણ સાક્ષાત્ પ્રભુની જેમ ભવ્ય જીવોનું કલ્યાણ કરે છે, એમ હું માનું છું. કારણ કે આનો મને જાત અનુભવ થયો છે. પછી તે જિનસમક્ષ નૃત્ય કરીને સ્વર્ગમાં ગયો. સભાએ ભગવાનને એ દેવની વિગત પૂછી, એટલે ભગવાને તેનો સઘળો વૃત્તાંત કહ્યો. (૨૪૯) (ગૈ.વં.મ.ભા. ગા-૯૦૧)
भव्वाणं पुण होई, चरिमावत्तंमि चरिमकरणंमि । पायमनासायाणं, सम्मत्तगुणोवओगाणं ॥ २५० ॥
भव्यानां पुनर्भवति चरमावर्ते चरमकरणे । પ્રાયોડનાશાતનાનાં સમ્યવત્વનુનોપયો મનમ્ ॥ ૨૦ ............ ગાથાર્થ–પ્રાયઃચરમપુદ્ગલપરાવર્તમાં ચરમયથાપ્રવૃત્તિકરણમાં રહેલા ભવ્યોને પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન હોય. આશાતનાથી રહિત અને સમ્યક્ત્વ ગુણના ઉપયોગવાળા ભવ્ય જીવોને વચનાનુષ્ઠાન હોય. (૨૫૦) तम्हा जिणभत्तीसु, वयणाणुाणमेव गुणहेऊ । तमणासायणपहवं, करिज्जमाणं फलोवेयं ॥ २५१ ॥
• तस्मात् जिनभक्तिषु वचनानुष्ठानमेव गुणहेतुः । तदनाशातनप्रभवं क्रियमाणं फलोपेतम् ॥ २५१ ॥
Jain Education International
*********............
For Personal & Private Use Only
२५१
www.jainelibrary.org