________________
વ્યંજનને અધિક કરવા ઉપર કથા.
૩૦૫ પ્રધાનો બોલ્યા કે– હે રાજા ! રાજપુત્રોને કાકણી શબ્દ કરીને રાજ્ય કહેવાય છે.” તે સાંભળીને રાજાએ તેને કહ્યું કે- “હે વત્સ ! નેત્રરહિત તું રાજ્ય શી રીતે કરી શકીશ ?” ત્યારે તે બોલ્યો કે– “પિતાશ્રીના પ્રસાદથી પિતાશ્રીને પવિત્ર લક્ષણોના પાત્રરૂપ પૌત્ર થયો છે, તેને માટે રાજ્ય માગું છું, મારે માટે માગતો નથી.” તે સાંભળીને અત્યંત હર્ષ પામેલા રાજાએ પ્રેમસહિત કુમારને પૂછ્યું કે- “હે વત્સ! હર્ષના સ્થાનરૂપ તે પુત્ર ક્યારે જન્મ્યો?” કુમાર બોલ્યો કે- “સંપ્રતિ એવ (હમાણાં જ).” તે સાંભળીને અત્યંત પ્રીતિના ઉલ્લાસથી પરાધીન થયેલો રાજા “સંપ્રતિ પુત્રો જાતઃ (હમણાં પુત્ર ઉત્પન થયો) સંપ્રતિ પુત્રો જાત” એમ વારંવાર મોટેથી બોલવા લાગ્યો. પછી તે પુત્ર દશ દિવસનો થયો ત્યારે તેને ઉત્કૃષ્ટ ઉત્સવપૂર્વક ત્યાં લાવીને અત્યંત પ્રમોદથી પૂર્ણ થયેલા રાજાએ તે પુત્રનું “સંપ્રતિ” નામ પાડી તેને રાજ્ય પર સ્થાપન કર્યો. તે સંપ્રતિ રાજા ત્રણ ખંડનો ભોગવનાર થયો અને પરમ શ્રાવક થયો. તેણે “શ્રીસુહસ્તી” સૂરિના ઉપદેશથી શ્રી જિનમતના સામ્રાજ્યને સર્વ પ્રકારે એક છત્રરૂપ કર્યું હતું.
// ઈતિ વ્યંજનાધિકયે આખ્યાનકમ્ //
અર્થને અન્યથા કરવા ઉપર દૃષ્ટાંત અર્થને અન્યથા કરવામાં વિશેષ કરીને પૂર્વે કહેલા જ દોષો જાણવા. તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે
શુક્તિમતી” નામની પુરીમાં “શ્રી મુનિસુવ્રત” સ્વામીના વંશમાં ઉત્પન થયેલો “અભિચંદ્ર” રાજા રાજ્ય કરતો હતો. તેને સત્યવાદીપણાથી પ્રસિદ્ધ થયેલો “વસુ” નામે પુત્ર હતો. તે ગામમાં પરમ શ્રાવક (જૈન ધર્મી) “કદંબક” નામના ઉપાધ્યાય રહેતા હતા. તે પોતાના “પર્વત” નામના પુત્રને, રાજપુત્ર “વસુ”ને અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org