________________
૩૦૨
જ્ઞાનપદ ભજીએ રે અર્થ– ક્ષણને વિલંબ કરવાથી પહોરનો અવસર મળે છે, પહોરનો વિલંબ કરવાથી દિવસ મળે છે, દિવસનો વિલંબ કરવાથી કાલ (રાત્રિદિવસ) મળે છે, અને કાલનો વિલંબ કરવાથી બીજી કાલ મળે છે. ૧
હાલના સમયમાં પણ સર્વ કાર્યોમાં ત્રણવાર આજ્ઞાની અપેક્ષા રાખવાની વ્યવસ્થા છે. કેમકે તેવી વ્યવસ્થાને લીધે સારી રીતે વિચાર કરવા રૂપ ગુણ પ્રાપ્ત થાય છે. અથવા તો રામચંદ્રની જેમ એકાંત પિતાની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જ તત્પર, અત્યંત નમ્રતાવાન અને મહાસાહસિકના નિધિ સમાન પુત્રોને પિતાની આજ્ઞા પાળવામાં શો દોષ છે? અત્યંત સિસ્મયથી (હર્ષથી) સર્વ અંગમાં ઉલ્લાસ પામતા રોમોદ્ગમ (રોમાંચ) વડે ગુરુની આજ્ઞાનું અનુષ્ઠાન મહાન પુરુષોને પણ વખાણવા લાયક જ છે, પરંતુ તેમાં આજ્ઞા આપનાર પિતાનો જ દોષ છે. કે જેથી અત્યંત કૃપાના પાત્રરૂપ પુત્ર ઉપર પણ સારી રીતે જોયા વાંચ્યા વિના જ કાગળ લખી મોકલ્યો. અથવા નવાં નવાં અનેક કાર્યોમાં વ્યગ્ર રહેલા પિતાનો પણ શો દોષ? પુરુષરત્નનો નાશ કરનારી, તેવા પ્રકારના કૂટ પ્રપંચને રચનારી અને દુષ્ટ મતિવાળી અપરમાતાનો જ દોષ છે. અથવા સ્ત્રી જાતિની સ્વભાવથી જ દુષ્ટતાને લીધે, અને પાપમાં જ તત્પર હોવાને લીધે તથા અપરમાતા નિરંતર àષવાળી જ હોય છે તેણીનું હૃદય દુષ્ટ જ હોય છે તેને લીધે તેમજ પોતાના પુત્રને રાજ્યપ્રાપ્તિ થાય તો ઠીક તેવા વિચારરૂપ લોભસાગરનું દુર્નિવારપણું હોવાને લીધે તેણીએ આ અકાર્ય કર્યું, તેમાં શું આશ્ચર્ય? કાંઈ જ નહીં. ત્યારે આ દોષ કોને આપવો? તે વિષે નિર્ણય કરે છે કે - પૂર્વે કરેલા દુષ્કૃત્ય (પાપકર્મ) નો જ આ દોષ છે, કેમકે પિતાએ તો પ્રાણથી પણ વહાલા એવા પુત્રને વિદ્યા પ્રાપ્ત કરાવવાનો જ
૧. દરેક ધારાનું બીલ ત્રણવાર વંચાયા પછી પસાર થાય છે. કોઈ પણ વસ્તુનું વેચાણ પણ છેલ્લીવાર ત્રણવાર બોલ્યા પછી કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org