________________
૧૭
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) સંસ્કૃતમાં એક નવું સ્તોત્ર/સ્તવન કે સ્તુતિની રચના કરવી પછી જ પચ્ચખાણ પારવું, આહાર લેવો. હવે આમ રોજ એક રચના થાય એ તો ભગવાનની કેટલી મોટી કૃપા ગણાય ! આ તો જ્ઞાન ક્ષેત્રની વાત છે, તેમાં આવા શ્લોકો રચાય તેનો જે આનંદ આવે તે તો જે વિદ્વાન હોય તે જ જાણે અને માણે, તમને તો એ આનંદની કલ્પના પણ આવે કે કેમ તે પ્રશ્ન છે. પણ તેમને આ રીતે રોજ રોજ નવી રચના કરતાં કરતાં એક દિવસ ચિંતા થઈ કે આમ બધું રચાય તો છે પણ તેને દીર્ઘકાળ સુધી પઠન-પાઠનમાં પ્રવર્તાવે તેવી શિષ્યપરંપરા હોય તો જ સાર્થક ગણાય. એટલે શ્રી પદ્માવતી દેવીનું અનુષ્ઠાન કર્યું અને પૂછ્યું, દીર્ઘકાળ કયો ગચ્છ પ્રવર્તમાન રહેશે. શ્રી પદ્માવતી દેવીએ કહ્યું કે : “તપાગચ્છ દીર્ધકાળ પ્રવર્તમાન રહેશે.” *
આચાર્યશ્રી જિનપ્રભસૂરિ મહારાજે પોતાનાં રચેલાં 900 જેટલાં સ્તોત્રો/સ્તવનોનો સંગ્રહ તપાગચ્છના તે વખતના મુખ્ય આચાર્યશ્રી સોમતિલકસૂરિ મહારાજને અર્પણ કર્યો. આ કેવી વિચારપ્રેરક ઘટના છે. જો ગચ્છનો વ્યામોહ હોત તો તેઓ દેવીના વચન છતાં અન્ય ગચ્છ પ્રત્યે આદરવાળા ન બનત, પોતાની રચેલી આવી માતબર સત્ત્વવંત રચના અર્પણ કરવી તેમાં પણ તેઓની નિરભિમાન મનોવૃત્તિનાં દર્શન થાય છે. - અરે ! ૧૯મા સૈકાના પ્રસિદ્ધ ગ્રન્થકાર શ્રી જયવંતસૂરિ મહારાજે શરદ પૂનમની રાત્રે ચાંદનીમાં સીમંધરસ્વામી ભગવાનના
વનની સળંગ ૩૧ કડી રચી લીધી. કેવી મસ્તી હશે. “જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા કાઢે પૂરવના કાળ.” એવું જે કહેવાય છે તેવા જ્ઞાનની ઉપાસનામાં લીન મુનિવરો તો “યં નં યાતિ” કેટલો સમય પસાર થયો તેની ખબર પણ ન રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org