________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧,)
સૈકાના પહેલા ચરણમાં એક શ્રાવક હતા તેઓને અભિગ્રહ હતો કે જ્યારે પોતે પૌષધશાળામાં આવે ત્યારે પાંચસો શ્લોક પ્રમાણ ગ્રંથ લખતા હતા અને ન આવે, ઘરે રહે ત્યારે તે ૧૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથ લખતા હતા. તેમણે લખેલો આવશ્યન્ત સવવૃત્તિ આજ પણ સૂરતના જ્ઞાનભંડારમાં મૌજુદ છે. શ્રાવિકાઓ પણ જ્ઞાનભક્તિમાં અગ્રેસર હતી. તેમણે લખેલું સાહિત્ય પણ મળે છે.
ܐ
કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે કરેલી મ્રુતની સેવા તો સર્વજનવિદિત જ છે. સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ ગ્રન્થની રચનાનો વિપુલ શબ્દરાશિ અને તે પણ વિવિધ વિષયોમાં રચીને જગત્ ઉપર અને વિશેષે શ્રીસંઘ ઉપર સદૈવ સ્મરણીય ઉપકાર કર્યો જ છે, તેઓ દ્વારા રચાતા એ સાહિત્યને લિપિબદ્ધ કરવા માટે ૭૦૦ (સાતસો) લહિયા દિવસ રાત લખવાનું કામ કરતા. ત્યારે તો બધું જ લખાણ તાડપત્ર ઉપર લખાતું હતું. એ કાર્યમાં ઉપયોગી બની શકે તેવા તાડપત્ર ઠેઠ કાશ્મીર જેવા દૂર દેશથી આવતો હતા. એ બધા ગ્રન્થો હજારોની સંખ્યામાં લખાવ્યા હતાં તો આજે આપણા સુધી એ પહોંચ્યા છે.
૧૫
એમની હરોળમાં બેસે તેવું બીજું નામ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું છે. આજે ગ્રન્થકર્તાએ પોતે રચેલા ગ્રન્થોની પોતે લખેલી પ્રતો સૌથી વધુ કોઇની મળતી હોય તો માત્ર એક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની મળે છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની નય ગ્રંથ લખવાની વાત તો આપણે ત્યાં પ્રસિદ્ધ છે જ.
Jain Education International
વિ.સં. ૧૭૧૦ના પોષ મહિનામાં જ્યારે પાટણ પધાર્યા ત્યારે નવ ગ્રંથની એક વિરલ પોથી એક બ્રાહ્મણ પંડિત પાસે હતી તે માત્ર પંદર દિવસ માટે મેળવીને તેની સાત નકલ મુનિ મહારાજે
For Personal & Private Use Only
www.jainelibrary.org