________________
જ્ઞાનરત્નનાં અજવાળાં
(જ્ઞાનપંચમી - ૧ પુસ્તિકા અહીં સામેલ કરી છે.)
ખાના ઉપકારી અરિહંત પરમાત્માના શાસનને નિવારણ, એ પ્રભુના માર્ગને આપણા સુધી પહોંચાડનારા એ પૂજ્ય પુરુષોની યાદી કરીએ તેમાં વર્તમાનકાળના જીવો માટેના ઉપકારનો વિચાર કરીએ છીએ ત્યારે જેઓનું નામ પહેલી હરોળમાં લેવાનું મન થાય તેવા પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે જીવનભર જ્ઞાનયોગની ત્રિકરણ યોગે આરાધના કરી છે. તેઓના આ શબ્દો છે. તેઓ જ્ઞાનને અમૃત કહે છે. અમૃત તો સમુદ્રમાંથી મળે છે. આ સમુદ્રમંથન વિના મળેલું છે. આત્માના આરોગ્યને ચેતનવંતું રાખનાર રસાયણ છે. જીવનનું ઐશ્વર્ય છે. પણ લૌકિક ઐશ્વર્યને અન્ય પદાર્થની અપેક્ષા રહે છે. આ તો લોકોત્તર ઐશ્વર્ય છે અને તે નિરપેક્ષ છે. સ્વાધીન છે. આવું આવું અમૃતરસાયણ અને ઐશ્વર્ય હોય તો તે જ્ઞાન છે. આ જ્ઞાનની આરાધનાનો જ્ઞાનપંચમીનો આજનો દિવસ છે. આ જ્ઞાનની આરાધના તો વરસભર અરે ! જીવનભર કરવાની છે. પણ તેની શરૂઆત દર વર્ષે આ નૂતન વર્ષના આરંભથી કરવાની છે. જ્ઞાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org