SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર (F) બીજું દ્રષ્ટાંત-પ્રથમ જિનના વારાના સાધુઓ પાસે કોઈ કોંકણ દેશના માણસે દીક્ષા લીધી. માંડણી ઇરિયાવહિના કાઉસ્સગ્નમાં કોઇ વખત તેમને વધારે સમય લાગ્યો, ગુરુએ વારનું કારણ પુછતાં E છે. તે કોંકણિક સાધુએ કહ્યું, ગુરુદેવ ! મેં જીવદયા ચિંતવી તેથી વાર લાગી, ગુરુએ કહ્યું, કેવી રીતે 3 જીવદયા ચિંતવી ? તેમણે કહ્યું, હું ગૃહસ્થ હતો ત્યારે સારી રીતે ખેતીનો ધંધો કરી ઘણું ધાન્ય ઉત્પન્ન કરતો, હમણાં મારા પુત્રો જો આળસુ થઇ ઉદ્યમ સાધ્ય ખેતીનું કાર્ય બરાબર નહીં કરતા (ક) હશે તો ધાન્ય કેમ ઉત્પન્ન થાશે ? અને ધાન્ય ઉત્પન્ન નહી થાય તો એ પુત્રોની કેવી દયા યોગ્ય છે (ક) કરુણ હાલત હશે વિગેરે જીવદયામાં મેં ચિંતવ્યું. ગુરુએ કહ્યું, ખેતીનો ધંધો પાપ વિના થતો (F) દિ નથી તેથી તમે ધર્મધ્યાન નથી કર્યું, દુર્બાન કર્યું છે, પાપ દયા ચિંતવી છે. આવું ચિંતન ન કરવું : જોઇએ, શિષ્ય ભૂલની ક્ષમા યાચી. એ ઋજુડના દ્રષ્ટાંત જાણવા. બાવીશ જિનના વારાના સાધુઓને સ્પંડિલ ભૂમિથી આવતાં વાર થઇ, ગુરુના પ્રશ્નથી તેમણે નટનું નૃત્ય જોવાનું કહ્યું, ગુરુએ કહ્યું, આપણાથી નટનું નૃત્ય ન જોવાય એ જાણી પ્રાજ્ઞપણાથી તેઓ સમજી ગયા કે નટ કે નટડી આદિ કોઇના નૃત્ય આપણાથી ન જોવાય. એ ઋજુ પ્રાજ્ઞનું 5) દ્રષ્ટાંત જાણવું. જી) અંતિમ જિનના વારાના સાધુઓને બહારથી આવતાં સમય લાગવાનું કારણ પુછતાં, ગુરુને 5) તેઓએ કહ્યું કે બહાર જાય તેમને સમય તો લાગે, ગુરુએ આગ્રહથી પુછતાં તેમણે નટનું નૃત્ય () જોવા ઉભા રહ્યાનું કહ્યું, ગુરુએ કહ્યું, સાધુઓથી નટનું નૃત્ય જોવાય નહીં. ફરી બીજી વાર સમય : કે લાગવાનું કારણ પુછતાં વાંકા ઉત્તર આપી અંતે નટડીનું નૃત્ય જોતાં વાર લાગવાનું કહ્યું, ગુરુએ ટે રે કહ્યું, તમને નટનું નૃત્ય જોવાની ના કહી તો પછી વિશેષ રાગના કારણરૂપ નટડીનું નૃત્ય છે શ્રમણોથી કેમ જોવાય ? શ્રમણોએ કહ્યું, એમાં દોષ તમારો જ છે, તમારે પહેલેથી જ નટ નૃત્યની સાથે નટડીના નૃત્યનો નિષેધ કરવો હતો ને? તેમ તમોએ કરેલ નથી તેથી અમારો દોષ નથી. (5) આ વડનું દ્રષ્ટાંત જાણવું. 44141414564444444444 444444444444444444 Jain Education internatione For Personal & Private Lise Only www.jainelibrary.org
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy