SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ UTUR GUTUR GURUFFLEDGURUFFLEIFFERENTURE BRS BEGGESTITUTSISTERESS SISTERESIGNESH FISHESHSISTERESTER C. આ ગ્રંથના પ્રેરણાદાતા સાધ્વીમુખ્યા પૂજ્ય શ્રી હરખશ્રીજી મ. સા. ની સંક્ષિપ્ત જીવન ઝરમર અર્ધશત્રુંજયની ઉપમાને વરેલ જામનગર શહેરની પ્રસિદ્ધિ જગમશહુર છે. વિશ્વવિખ્યાત જામનગર જિલ્લામાં ધર્મપુરી તરીકે ઓળખાતું રળિયામણું નવાગામ નામે એક ગામ છે. તે ગામના નિવાસી શ્રાધ્વગુણસંપન્ન શ્રી ગોસરભાઈ રાજાભાઈ દોઢિયાના ધર્મપત્ની લીલાબેનની કુક્ષિથી વિ. સં. ૧૯૬૬ મહા સુદ ૧૧ ના દિવસે પુત્રીરત્નનો જન્મ થયો. તેનું નામ હીરબાઈ રાખવામાં આવ્યું. બાલ્યકાળથી જ સંસ્કારી માતા-પિતાએ સુસંસ્કારોનું સિંચન કર્યું જેથી તેમનામાં સહજ ગુણો પ્રગટ થયા. અનુક્રમે બાલ્યકાળ વ્યતિત થતાં તેમના પિતાશ્રીએ ચેલા ગામના વતની શ્રેષ્ઠિવર્યશ્રી વીરજીભાઈના સદ્ગુણી પુત્ર નરશીભાઈ સાથે તેમનું લગ્ન કર્યું, પરંતુ ભવિતવ્યતાના યોગે હજુ મહેંદી ભીના હાથ સુકાયા ન હતા અને નરશીભાઈ પરલોકની વાટે સિધાવી ગયા. હીરબાઈની ઉંમર ૧૫ વર્ષની હતી. છતાં કર્મપ્રધાન એવા આ અસાર સંસારમાં કર્મના સ્વરૂપને સમજી સંસારની અનિયતાને વિચારી જીવનને સંકલેશમય ન બનાવતા વૈરાગ્યમય બનાવ્યું અને ધર્મઆરાધનામાં જોડાઈ ગયા. હવે તે જ સમયે દિયોધ્ધારક કચ્છ હાલાર દેશોધ્ધારક, અચલગચ્છાધિપતિ પૂ. દાદા સાહેબ આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પ્રવર્તિની મહત્તરા પૂસા. શ્રી કનકશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સા. શ્રી કસ્તુરશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. સા. શ્રી પદ્મશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી કપૂરશ્રીજી મ. સા. નું ચાતુર્માસ હાલારના નવાગામમાં થયું. વૈરાગ્યવાસિત હીરબાઈ પૂ. સા. મ. ના સતત સંપર્કથી સંયમ લેવાની તીવ્ર ભાવનાવાળા થયા. તેમની સંયમ લેવાની તીવ્ર તમન્ના જોઈને ધર્મિષ્ઠ કુટુંબે અનુમતિ આપી, આ રીતે ૧૫ વર્ષની ઉગતી વયે વિ. સં. ૧૯૮૧ માગશર સુદ ૨ ના દિવસે અસાર સંસારનો ત્યાગ કરી ત્યાગમય સંયમવેશને અંગિકાર કરી હીરબાઈમાંથી હરખશ્રીજી બની પૂ. કપૂરશ્રીજી મ. સા. ના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. હાલારની ભૂમિ પર આ સૌ પ્રથમ દીક્ષા થઈ. દીક્ષાના પ્રથમ દિવસથી જ વડીલોનો વિનય-વૈયાવચ્ચ કરવા પૂર્વક જ્ઞાનધ્યાનમાં લાગી ગયા, સાથે સાથે વયોવૃદ્ધ પક પૂ. દાદા સાહેબ શ્રી મુનિમંડલોગ્રેસર આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ની સેવાનો લાભ પણ લેતા રહ્યા. તેમજ Sાં જામનગરમાં ગચ્છ ગુણી પ્રવર્તિની મહત્તરા પૂ. સા. શ્રી કનકશ્રીજી આદિની ખૂબ જ સેવાનો અપૂર્વ લાભ લઈ વિનયાદિ תכחכחכחכתכתבתכתבתכתבתכתכתבותכתבוחבורברבתכתבותכתבתכתבתכתבותברכתכרכובתכתבתכותב For Personal Private Use Only ww Join Education international e lbraryong
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy