SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ UCLLLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLC કચ્છમાં જબરદસ્ત શાસન પ્રભાવના અચલગચ્છાધિપતિ પદ શિષ્ય પરિવાર વધ્યા બાદ પૂરજોશમાં ધર્મપ્રવૃત્તિઓ વધવા માંડી. પૂજ્યશ્રીના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ કચ્છના ગામેગામે જિનાલયોના જિર્ણોધ્ધાર, ધ્વજદંડ, પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયો, જિનાલયોના શુદ્ધિકરણ, નૂતન જિનાલયોના નિર્માણ, જ્ઞાનશાળાઓ, જ્ઞાનભંડારો, પાઠશાળાઓ વગેરેનું નવનિર્માણ વગેરે શાસન કાર્યો પૂજ્યશ્રીના પગલે પગલે થવા માંડયા. સમસ્ત ગચ્છની જનજાગૃતિ માટે તે વખતે સં. ૨૦૨૪માં પૂજયશ્રીએ શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ ગચ્છ) શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના કરીને ભદ્રેશ્વર મહાતીર્થમાં સંઘનું પ્રથમ અધિવેશન બોલાવ્યું. ત્યારે મુંબઈ, કચ્છ, દક્ષિણ, રાજસ્થાન વગેરે ભારતભરમાંથી અનેક ભાવિકો પધાર્યા. સં. ૨૦૧૯માં કચ્છ દેઢીયાથી ભદ્રેસર તીર્થના છ'રી પાલક સંઘની સંઘમાળ વખતે અનેક સંઘોની આગ્રહભરી વિનંતીથી પૂજ્યશ્રીને ભદ્રેશ્વર તીર્થમાં “અચલગચ્છાધિપતિ” પદે આરૂઢ કરાયા. પોતાના તપસ્વી શિષ્ય પૂજય મુનિ શ્રી ગુણોદયસાગરજી મ. સા. ને સં. ૨૦૩૨ અને સં. ૨૦૩૩ માં ઉપાધ્યાય પદ તથા સૂરિ પદ આપ્યું. એ વર્ષે પૂજ્યશ્રીના વરદ્ હસ્તે ભુજપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા ઉજવાઈ. રાજસ્થાનમાં ઉગ્રવિહારો તથા છ'રી સંઘ ' સં. ૨૦૩૨ માં ભીનમાલ-બાડમેર તરફ વિહારો કરી રાજસ્થાનમાં પૂજ્યશ્રીએ ધર્મલહેર ફેલાવી દીધી. બાડમેર ચાતુર્માસ દ્વારા રાજસ્થાનના સંઘોમાં ઘણી જાગૃતિ આવી. ત્યારબાદ અંજનશલાકા-દીક્ષા વગેરે કાર્યક્રમો થયા. ફરી કચ્છ પધાર્યા ત્યારે સં. ૨૦૩૩ ના મહા સુદ ૫ ના કચ્છ ગોધરાથી શત્રુંજય તીર્થનો ઐતિહાસિક છ'રી સંઘ નીકળ્યો. મુંબઈમાં પાવન પધરામણી - અદ્વિતિય શાસન પ્રભાવના વિ. સં. ૨૦૩૪ માં પૂ. અચલગચ્છાધિપતિશ્રી મુંબઈ પધાર્યા. અહીં પરાં પરાંમાં વિચરી જાગૃતિનો શંખનાદ ફૂંક્યો. જેથી ઉપનગરોમાં સંઘોની સ્થાપના, યુવા સંગઠનો, મહિલા મંડળો વગેરે દ્વારા ધર્મશાસનનો જયજયકાર થવા માંડયો. વિ. સં. ૨૦૩૬ માં સંઘનું બીજું અધિવેશન બોલાવાયું. ગચ્છવિકાસની અનેક પ્રવૃત્તિઓના બીજ વવાયા. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્રના કારણે શ્રી આર્યરક્ષિત યુવા પરિષદ તથા પરા પરામાં યુવા મંડળની રચના થઈ. જ્ઞાનસત્રના કારણે અનેક યુવાનો સંયમના પંથે સંચર્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી પરાઓમાં અનેક ઉપાશ્રયો થવા માંડયા. જિનાલયોના ખનન શિલારોપણ, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, દીક્ષા મહોત્સવો થયા. પૂજ્યશ્રીના મુંબઈના સંઘો પર એવા ઉપકારો છે કે ભુલાયા ભુલાશે નહીં. UR 2 Jan Education international For Personal & Private Use Only www.jainerary.cg
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy