SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન st કલ્પસૂત્ર ? એ નીકળેલ છે તેની ચાર શાખાઓ અને ચાર કુળો થયાં છે. ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજ અને એ મધ્યમિલા એ ચાર શાખાઓ અને બ્રહ્મલિત, વત્સલિત, વાણિજ્ય અને પ્રશ્નવાહન એ ચાર કુળો $ જાણવાં. શ્રી આર્યસુહસ્તિસૂરિના શિષ્ય સુસ્થિત અને સુપ્રતિબધ્ધના પાંચ શિષ્યો પુત્રની જેમ ) પ્રસિદ્ધિને પામેલા હતાં. તેમના આર્ય ઇન્દ્રદિન, પ્રિયગ્રંથી, કાશ્યપગોત્રી વિદ્યાઘરગોપાલ, ઋષિદત્ત અને અદત્ત એ નામ હતાં. એ પાંચ શિષ્યોમાંથી એક પ્રિયગ્રંથિસૂરિનો પ્રસંગ કહીએ છીએ. અજમેર સમીપે કે ગર હતું. ત્યાં સુભટપાલ નામે રાજા હતો. એક વખતે ત્યાં બ્રાહ્મણોએ યજ્ઞમાં બોકડાનું બલિદાન આપવાનો નિર્ણય કરેલ ત્યારે ત્યાં પ્રિયગ્રંથિસૂરિ આવેલા, એમણે શ્રાવકને મંત્રેલ વાસક્ષેપ આપી બોકડા ઉપર નાખવા જણાવ્યું. શ્રાવકે તેમ કર્યું તેથી તરત જ અંબિકાદેવીથી ૪ અધિષ્ઠિત થયેલ બોકડો આકાશમાં અધ્ધર રહી બોલવા લાગ્યો કે, “અરે બ્રાહ્મણો તમો મારી આહુતિ આપવા બાંધી લાવ્યા છો ? જો તમારા જેવો નિર્દય હું પણ થાઉં તો ક્ષણમાં તમને બધાને મારી શકે છે, પરંતુ મને મારો દયાધર્મ તેમ કરતાં અટકાવે છે, શ્રી કૃષ્ણે કહ્યું છે કે, “હે ભારત ! પશુના શરીરમાં જેટલા રૂંવાટા છે, તેટલા હજાર વર્ષો સુધી પશુનો ઘાત કરનાર નરકમાં રીબાય ? છે, સુવર્ણના મેરુનું કે, સુવર્ણની આખી પૃથ્વીનું દાન એક જીવને આપેલ અભયદાનની બરાબરી શું કરી શકતું નથી. સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. અભયદાન આપનારના પુણ્યનો નાશ થતો 5 (5) નથી. લોકોએ પૂછયું તમો કોણ છો? બોકડાએ કહ્યું હું અગ્નિ છું, મારા વાહનરૂપ આ પશુનો - E. વધ શા માટે કરો છો ? તમો ધર્મ કમાવા ખાતર જ જો વધ કરતા હો તો, આ નગરમાં આવેલા કે પ્રિયગ્રંથિસૂરિ પાસે જઈ ધર્મ પૂછી તે પ્રમાણે ધર્મ કરો તો તમે સુખી થશો નહીં તો દુ:ખી થઈ જશો, એ આચાર્ય અપ્રતિમ સત્યવાદી અને દયાળુ છે. બ્રાહ્મણો વગેરેએ પ્રિયગ્રંથિસૂરિ પાસે જઈ શું તેમણે કહેલ જૈન ધર્મ સ્વીકાર્યો અને સુખી થયા. : ૨૯૯ f444444444444444444 f4444444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.jainerary ang
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy