SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ குருகுகுகுகுகுரு કલ્પસૂત્ર કે સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં છે તેમને આપ મંત્રીપદ આપો, રાજાએ સ્થૂલિભદ્રને બોલાવીને કે 2 મંત્રીપદ સ્વીકારવા જણાવ્યું. સ્થૂલિભદ્રે કહ્યું કે, હું વિચારીને જવાબ આપીશ. પછી અશોકવાડીમાં સ્થૂલિભદ્રે વિચાર્યું કે, આ મંત્રીપદ પિતાના પ્રાણ લેનારૂં થયું. આ રાજકારણ અને સંસાર દુઃખ 2 માટે જ છે. એમ વિચારી સંસાર પરથી મન ઉઠાવી વૈરાગ્યથી તે લોચ કરી મુનિવેશ ધારણ કરી રાજસભામાં આવ્યો. ત્યારે રાજાએ કહ્યું, આલોચિત. એટલે વિચાર કર્યો ? ત્યારે સ્થૂલિભદ્રે કહ્યું, ' લોચિત. એટલે મેં તો લોચ કરી નાખ્યો. એ સાંભળી રાજા વગેરે સભાજનોએ આશ્ચર્ય અનુભવી 5 - વંદન કર્યું. યૂલિભદ્ર મુનિ ધર્મલાભ આપી ત્યાંથી આચાર્ય શ્રી સંભૂતિવિજયસૂરિ પાસે આવી ને દીક્ષા લઈ અગિયાર અંગ ભણી ગયા, અને ગુરુ આજ્ઞા મેળવી કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા. આ રૂ. ત્યાં હાવભાવપૂર્વક અનેક જાતના ભોગવિલાસના ચેનચાળાઓ કરતી અને તેવા જ વચનો ) છે બોલતી વેશ્યાની તેવી ચાર માસની પ્રવૃત્તિથી પણ લેશમાત્ર ચલિત નહિ થનારા યૂલિભદ્ર $ મુનિએ તે વેશ્યાને પ્રતિબોધી બાર વ્રત ધારિણી શ્રાવિકા બનાવી. ગુરુ પાસે આવ્યા ત્યારે ગુરુએ FD હું પણ “દુક્કર દુક્કર કારગ” એવા માનકારી વચનોથી સત્કાર્યા. અને સંઘ પાસે પણ તેમની કે પ્રશંસા કરી. સિંહ ગુફામાં ગુરુ આજ્ઞા લઇ ચાતુર્માસ કરી આવનાર મુનિથી આ પ્રશંસા સહન છે ન થઈ તેથી તેણે કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની માંગણી કરી. ગુરુએ કહ્યું તારું ત્યાં કામ ? એ નથી, છતાં તે મુનિ કોશા વેશ્યાને ત્યાં ગયા અને ચારિત્ર ભાવનાથી પતિત થયા. વેશ્યાએ ) પ્રતિબોધ પમાડવા નેપાળથી રત્નકંબલ લાવવા કહ્યું. મુનિ ઘણા કષ્ટો વેઠી તે લાવ્યા. વેશ્યાએ 5) (Fતે કંબલથી પગ લૂછી ગંદા પાણીના સ્થાને નાંખી દીધી. મુનિએ કહ્યું, આવી કિંમતી વસ્તુને આમ (E કેમ બગાડો છો? એટલે આવા કિંમતી ચારિત્રને તમે કેમ બગાડવા તૈયાર થયા છો? વગેરે કહી દે વેશ્યાએ એ મુનિને પ્રતિબોધ્યા. તેથી તે મુનિ ગુરુ પાસે આવી પ્રાયશ્ચિત સ્વીકારી શુધ્ધ થયા. આ કોઈ વખતે બાર વર્ષનો દુકાળ પડવાથી જૈન મુનિઓને શાસનના આધારભૂત બારમું અંગ સૂત્ર ) દ્રષ્ટિવાદ વિસ્મૃત થવા લાગ્યું. ઘણાને તદન કંઠસ્થ રહ્યું નહિ તેથી તેના અભ્યાસની વ્યવસ્થા ૪) કરાવવા માટે શ્રી શ્રમણ સંઘે નેપાળ દેશમાં વિચરતા શ્રી ભદ્રબાહુસ્વામી જ એકલા દ્રષ્ટિવાદના 50 લ De 1444 For Personal Private Use Ory in Education international
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy