SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ FFFF, કલ્પસૂત્ર ૨ અનુક્રમે ભરત ચક્રવર્તી અને બાહુબલિ એક સ્થાન પર આવી ગયા. વચ્ચે રણથંભ રોપીને યુધ્ધ વ્યાખ્યાન આરંભ્ય. બાહુબલિનો પુત્ર અને સેનાપતિ સિંહરથ અને ભરતનો સેનાપતિ સુષેણ સામસામે આવી 5) ગયા, સુષેણે સિંહરથને કહ્યું કે હું તો ભરતનો સેવક છું, અને તું તો બાહુબલિનો પુત્ર છે તેથી 5) મારા સ્વામી જેવો કહેવાય તે કારણે પહેલો પ્રહાર તું કર. એ સાંભળી સિંહરથે પહેલો પ્રહાર - કર્યો. તે શસ્ત્રનો નાશ કરી સુષેણ પ્રહાર કરવા માંડયો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો એટલે તે પ્રહાર કરી શક્યો નહિ. યુધ્ધની એ મર્યાદા છે કે સૂર્યાસ્ત થયા પછી યુધ્ધ થાય નહિ, એ દિવસે થયેલ ભયંકર યુધ્ધમાં જે મરી ગયા તે ગયા પરંતુ જેમને ઘા લાગ્યા હતા તેમને ભરત રાજાએ કાંકિણી રત્નના જલસિંચનથી અને બાહુબલિએ સોમયશા પુત્રના કંઠના આભૂષણના જલસિંચનથી સાજા (ક) કર્યા. બીજે દિવસે પણ ભયંકર યુદ્ધ થયું એ રીતે પ્રતિદિન યુધ્ધ કરતાં બાર વર્ષ સુધી ભયંકર HD યુધ્ધ ચાલ્યું. ક્રોડો માણસો મરણ પામ્યા. રૂધિરની નદીઓ ચાલી છતાં બન્ને ભાઇઓમાંથી એક પણ હાર્યો નહિ. આ સમયે સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્ર ભરતચક્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શ્રી ઋષભદેવ પ્રજાને પાળી પોષીને વૃધ્ધિ પમાડી અને તમે બને તો તેમના પુત્રો છતાં એવા યુધ્ધ ચડ્યા છો કે એ સૃષ્ટિનો નાશ કરશો. ભરતે કહ્યું આ બાહુબલિ મારી આજ્ઞા માનતો નથી અને ચક્ર આયુધશાળામાં આવતું નથી તેથી યુધ્ધ કરવાનો પ્રસંગ થયો. ત્યારે ઇન્દ્ર કહ્યું તમે બન્ને 5) ભાઇઓજ પરસ્પર યુધ્ધ કરી લ્યો, એમ કહી ઇન્દ્ર દ્રષ્ટિ યુધ્ધ, વચન યુધ્ધ, બાહુ યુધ્ધ, મુષ્ટિ યુધ્ધ, અને દંડ યુધ્ધ એવાં પાંચ યુ નક્કી કરી દીધાં અને શ્રી આદિનાથની આણાથી સર્વ સેનાને દૂર કરી, પછી એ પાંચ પ્રકારના યુદ્ધ થયાં. એ પાંચે યુદ્ધમાં ભરત હાર્યા અને બાહુબલી જીત્યા, તેથી દેવોએ બાહુબલિ ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. તેથી ભરતને ઘણો ગુસ્સો આવ્યો અને ભારતે બાહુબલિ ઉપર ચક્ર મૂક્યું, પરંતુ તે દેવાધિષ્ઠિત ચક્ર એક જ ગોત્રવાળા ઉપર ચાલે નહિ તેથી Jિ) બાહુબલિને પ્રદક્ષિણા દઈ તે ચક્ર ભરતના હાથમાં પાછું આવ્યું. એટલે બાહુબલિએ ક્રોધિત થઇ ૨૭૭ GGGGGGHHHGSSE444444 444444444444444 Jain Education international For Personal & Private Lise Only www.jainelibrary.org
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy