SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLLLLLLLCLCLCLCLCL2 UTSTSTSTSTSTSTSTS STS STUFFETTERS STUFFEBSITE આ ગ્રંથની રચના કરતાં અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને ખૂબ જ પરિશ્રમ કરવો પડયો છે. શાસન-ગચ્છની ઘણી જવાબદારી વચ્ચે રહીને આ કલ્પસૂત્રની પૂર્વાચાર્યોના ગ્રંથોના આધારે પૂજ્યશ્રીએ રચના કરી છે. તે છતાં પણ રચના ખરેખર અજોડ બની છે. પૂજય આચાર્ય સાહેબની આ સુંદર રચના જેમના હાથમાં આવશે તેઓને એમ લાગ્યા વિના નહીં જ રહે કે આમાં પૂજ્ય આચાર્ય સાહેબે અથાગ પરિશ્રમ નથી કર્યો ? શાસ્ત્ર માધુર્યથી જન્મેલા લયયુક્ત લાલિત્યથી આ ગ્રંથ પરિપૂર્ણ છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની સાતમી પાટે ચૌદ પૂર્વધર યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામિજીએ નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાંથી ઉધ્ધરેલું મહામંગલકારી આ કલ્પસૂત્ર છે. ચિંતામણી રત્નતુલ્ય, કલ્પવૃક્ષ સમાન આ કલ્પસૂત્રનું સરલ ભાષાંતર રચવાનું પ્રયોજન એ છે કે બહુ ભણેલા પંડિત પુરુષો તો કલ્પસૂત્રના મૂળ અને સંસ્કૃત વ્યાખ્યાઓને સરળતાથી અનાયાસે સમજી શકે છે. પરંતુ સામાન્ય ભાષાજ્ઞાનવાળા શ્રધ્ધાળુ ભવ્યજીવોને તો આ કલ્પસૂત્રના રહસ્ય સરલ ભાષાંતરમાંથી સમજાય અને તેમની ધર્મશ્રદ્ધા દ્રઢ થાય તે માટે રચયિતાએ દરેક શબ્દ આધારસહિત મૂળ આગમને અનુસરીને પોતાના વાંચન, મનન અને પરિપક્વ અનુભવથી સરળ અને સાદી ભાષામાં ભવ્યજીવોના કલ્યાણનું લક્ષ રાખીને Tી આ મહાનસૂત્રના ભાષાંતર (અનુવાદ-વિવરણ) ની રચના કરી છે. આ ગ્રંથની સરલ રચના અનેક કલ્પસૂત્રના પ્રકાશનો વચ્ચે આ પ્રકાશનને માનભર્યું સ્થાન અપાવે છે. અચલગચ્છાધિપતિ, તીર્થપ્રભાવક પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી ૧૦૦૮ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબે આ પવિત્ર ગ્રંથમાં જે બોધ, જ્ઞાન અને તત્વનો રસથાળ પીરસ્યો છે તે ભવ્યજીવો જાણે, ગ્રહણ કરે અને આચરણમાં ઉતારે એ જ શુભેચ્છા. કલ્પસૂત્ર ગ્રંથની આ બીજી આવૃત્તિ પ્રસંગે પણ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘે સંપૂર્ણ આર્થિક સહાયતા જ્ઞાનખાતામાંથી આપેલ છે. પ્રથમ આવૃત્તિ વખતે પણ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના તે સમયના પ્રમુખ શ્રી મોરારજી નાનજી ગાલા અને મંત્રી શ્રી પ્રતાપ ગોવિંદજી શાહ, શુભેચ્છક શ્રી શામજી જખુભાઈ ગાલા અને ત્યાર પછીના પ્રમુખ શ્રી ટોકરશી દામજી ધરમશી અને ખજાનચી શ્રી નવીન ટોકરશી ગોગરી વિગેરેની સેવાઓ મળેલ હતી. તેમ આ વખતે પણ આ સંઘના વર્તમાન અધિકારીઓ, હાલના ઉપપ્રમુખ શ્રી વિશનજી દેવજી ગાલા, મંત્રી શ્રી મહેન્દ્ર દેવજી ખોના તથા શ્રી સંઘના માજી પ્રમુખ શ્રી જયંતિલાલ કુંવરજી મહેતાની સેવા પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથની બીજી આવૃત્તિના પ્રકાશનમાં વર્તમાન અચલગચ્છાધિપતિ પૂજય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના તથા સાહિત્ય દિવાકર LEEUGLELEL5454545454545454545454545454545454545454545 LLLLLLLLLSLLLLLLLLLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLELELELCLCLCLCLCLCLE UPLETITUTUTIFUL TU TU TUTITUTUL TUESTITUTULPTUDIETLTLTLTLTLTLTLLI Jain Education International For Personal & Private Lise Only www.larong
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy