SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર பருருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகு કહે છે કે એક મોક્ષ પર બીજો અપર એમ બે બ્રહ્મ છે તેમાં પરબ્રહ્મ તે સત્યજ્ઞાન છે અને અનંતર વ્યાખ્યાન બ્રહ્મ એટલે મોક્ષ છે. આ વેદપદો જ મોક્ષના અસ્તિત્વની સિધ્ધિ કરી આપે છે તથા “જરામર્યવા 5) યદગ્નિહોત્ર કુર્યાત” એ પદનો અર્થ પણ તું બરાબર સમજ્યો નથી. એ વાક્યમાં જે “વા” શબ્દ ) છે તેનો અર્થ અહીં “અપિ' કરવાનો છે તેમ કરવાથી આ વાક્યનો અર્થ તને સમજાશે. એ વાક્યનો અર્થ એવો છે કે જે કોઈ સ્વર્ગનો જ અર્થી હોય તેણે જીવનપર્યત અગ્નિહોત્ર કરવું, પરંતુ જ મોક્ષાર્થી હોય તેણે અગ્નિહોત્ર ત્યજીને મોક્ષ અપાવનારા અનુષ્ઠાનોમાં જ ઓતપ્રોત બની મોક્ષ સાધવો જોઇએ. પ્રભુના અમૃતમય વચનોથી પ્રભાસ પંડિત સંશય નાશ પામી જવાથી ત્રણસો વિદ્યાર્થી શિષ્યો સહિત વિનીત ભાવે પ્રભુ ચરણમાં નમી પડી પ્રભુ પાસે દીક્ષા લઇ પ્રભુના શિષ્ય ) થયા, પછી પ્રભુ પાસેથી ત્રિપદી પામી તેણે દ્વાદશાંગીની રચના કરી ઇતિ એકાદશ ગણધર: " E || ૧૧ || ગણધરવાદ: સમાપ્ત: E પ્રભુએ ચાર હજાર અને ચારસો બ્રાહ્મણોને દીક્ષા આપી. તેમાં મુખ્ય અગિયારને ગણધર પદે કે 2 સ્થાપ્યા, તે અગિયાર ગણધરોએ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરી. તેની પ્રભુએ તેઓને અનુજ્ઞા આપી. આ સમયે સૌધર્મેન્દ્ર દિવ્ય સુગંધિ ચૂર્ણનો ભરેલો રત્નજડિત સુવર્ણનો થાળ લઇને ઉભો રહ્યા, ગૌતમ આદિ અગિયારે ગણધરો કાંઈક મસ્તક નમાવીને ઉભા રહ્યા. દેવો વાજિંત્રોના શબ્દબંધ કરીને સાવધાન થઇ સાંભળવા લાગ્યા. શ્રી વીરપ્રભુ રત્નમય સિંહાસનથી ઊઠી દિવ્ય ચૂર્ણની મુઠી ભરીને બોલ્યા કે, “ઇન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ પર્યાય વડે તીર્થની અનુજ્ઞા આપું છું” એમ ક્રમવાર કહીને પ્રભુએ તે અગિયારે ગણધરોના મસ્તક ઉપર વાસક્ષેપ કર્યો, પછી દેવોએ રે પણ તેમના મસ્તક ઉપર સુગંધિ ચૂર્ણ, પુખ્ત, ચંદનાદિની વૃષ્ટિ કરી. પ્રભુએ “સુધર્મ ગણધરને મુખ્ય રાખીને ગચ્છની અનુજ્ઞા આપી.” તે કાળ અને તે સમયમાં શ્રમણપ્રભુ શ્રી મહાવીર દેવ અસ્થિગ્રામે પ્રથમ ચાતુર્માસ રહ્યા. ? ચંપા અને પૃષ્ટચંપાનગરીએ પ્રભુ ત્રણ ચાતુર્માસ રહ્યા. વૈશાલિ અને વાણિજ્યગામની નિશ્રામે AM SE45450 ૨૧૫ Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy