SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર કે குருருருருருருருருருருருட் શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા ત્યારે ચોસઠ ઇન્દ્રોના સિંહાસનો કંપાયમાન વ્યાખ્યાન થયાં. તેથી અવધિજ્ઞાનનો ઉપયોગ આપતાં પ્રભુના કેવળજ્ઞાનદર્શનની વાત જાણીને ઇન્દ્રો દેવોના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા અને જાંભિકા ગામ નગરની બહાર સમવસરણની રચના કરી પ્રભુએ ત્યાં બિરાજમાન થઈ દેશના આપી, સમવસરણમાં મનુષ્યો ન હતા, દેવો અને ઇન્દ્રો 5) હોવાથી કોઈ વ્રત લેનાર ન થવાથી પ્રભુની દેશના નિષ્ફળ ગઈ. પછી પ્રભુ ત્યાંથી વિહાર કરીને ) ક) અપાપાનગરીના મહસેન ઉદ્યાનમાં પધાર્યા. (5) આ સમયે ત્યાં સોમિલ નામના બ્રાહ્મણને ત્યાં યજ્ઞ કરવા માટે તે સમયના મહાન સમર્થ છે બ્રાહ્મણ પંડિતો ભેગા મળ્યા હતા. તેમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ નામના ત્રણ સગા ભાઇઓ ચૌદ વિદ્યાના પારગામી હતા. તેઓ પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે ત્યાં મેં આવ્યા હતા, તેમાં ઇન્દ્રભૂતિને જીવ છે કે નહીં ? અગ્નિભૂતિને કર્મ છે કે નહીં ? અને વાયુભૂતિને ? શરીરથી કોઈ અલગ જીવ છે કે શરીર એ જીવ છે? એવો સંદેહ હતો. તથા વ્યક્ત અને સુધર્મા ) નામના બે ભાઇઓ વિદ્વાન હોવા છતાં વ્યક્તિને પાંચભૂત છે કે નહીં ? એવો અને સુધર્માને આ ; જીવ આ ભવમાં જેવો છે તેવો જ પરભવમાં થાય છે કે જુદી જાતનો થાય છે? એવો સંશય | હતો. એ બન્ને પાંચસો પાંચસો શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા. તથા મંડિત અને મૌર્યપુત્ર નામના કે બે વિદ્વાનો સાડા ત્રણસો, સાડા ત્રણસો શિષ્યો સાથે ત્યાં આવ્યા હતા. તેમાં મંડિતને કર્મથી બંધ થાય કે નહીં ? અને મૌર્યપુત્રને દેવલોક હશે કે નહીં ? એવો સંશય હતો તથા અકંપિત અને ૨ અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ એ ચાર વિદ્વાનો પોતાના ત્રણસો ત્રણસો શિષ્યોના પરિવાર સાથે ત્યાં આવ્યા હતા. તેમાં અકંપિતને નરક છે કે નહીં ? અચલભ્રાતાને પુણ્યપાપ છે કે નહીં ? ;) Fઈ મેતાર્યને પરલોક છે કે નહીં? અને પ્રભાસને મોક્ષ છે કે નહીં? એવા સંશયો હતા. આ અગિયારે બ્રાહ્મણ વિદ્વાનો એક એક સંદેહવાળા હતા છતાં દરેક પોતાને સર્વજ્ઞ મનાવતા કે સેઇ સર્વજ્ઞપણામાં ક્ષતિ આવે એ માટે એ સંશય એકબીજાને કોઈ પૂછતા ન હતા. તે અગિયારે 555555555 Jein Education international For Personal Private Use Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy