SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર : ટાઢમાં પ્રભુને આ આકરો શીત ઉપસર્ગ થયો એમ છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જાણી તે વ્યંતરી વ્યાખ્યાન પ્રભુની ક્ષમા માગીને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલી ગઈ. એવા શીત ઉપસર્ગને સમભાવે સહન કરતા એવા વીરપ્રભુને ત્યારે લોકાવવિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ ભદ્રિકાનગરીએ આવ્યા. ત્યાં ચોમાસી તપ અને અનેક પ્રકારના અભિગ્રહોથી પ્રભુએ છઠ્ઠ ચાતુર્માસ કર્યું. અહીં 5) છ માસે ગોશાળો પ્રભુ પાસે આવ્યો. ચોમાસી તપનું પારણું પ્રભુએ ભદ્રિકાનગરીની બહાર કર્યું. ) E) પછી ઉપસર્ગ રહિત એવા મગધ દેશમાં પ્રભુએ ઉપસર્ગરહિતપણે વિહાર કરી આલંભિકા નગરીમાં ED આવી ચોમાસી તપ કરી સાતમું ચાતુર્માસ પૂર્ણ કરી ચોમાસી તપનું પારણું નગરીની બહાર કર્યું. પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી કુડંગ સન્નિવેશમાં આવી વાસુદેવના મંદિરમાં પડિમા ધારી રહ્યા. ગોશાળો પણ વાસુદેવની પ્રતિમાને પૂંઠ દઇને બેઠો તેથી લોકોએ ગોશાળાને ઘણો માર માર્યો, ત્યાંથી પ્રભુ મર્દન ગામમાં બલદેવના ચૈત્યમાં આવી પડિમા ધારી રહ્યા ત્યાં ગોશાળો બલદેવના મુખમાં પુરુષચિહ્ન રાખીને ઊભો રહ્યો તે જાણી લોકોએ તેને ઘણો માર માર્યો છતાં બન્ને જગ્યાએ ગોશાળાને સાધુ જાણીને છોડી દીધો. ) પ્રભુ ત્યાંથી ઉન્નાગ સન્નિવેશ તરફ જતા હતા ત્યારે રસ્તામાંથી તરતના પરણેલા લાંબા (E) દાંતીવાળા પતિપત્નીને આવતા જોઇ ગોશાળો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બન્નેનો જોગ તો સરખો મળ્યો છે. એથી ગુસ્સે થયેલા તે દંપતીએ ગોશાળાને મારીને વાંસની ઝાડીમાં ફેંકી દીધો. એને પ્રભુનો છત્રધર જાણીને વધુ ન મારતાં છોડી દીધો. ત્યાંથી પ્રભુ ગોભૂમિમાં આવ્યા, ત્યાંથી રાજગૃહી નગરમાં આવી ચોમાસી તપ કરી આઠમું ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચોમાસી તપનું પારણું નગરની બહાર કરીને વિહાર કરતા પ્રભુ વજભૂમિમાં આવ્યા, ત્યાં ચાતુર્માસને * યોગ્ય કોઇ નિયતસ્થાન ન મળવાથી નવમું ચાતુર્માસ પ્રભુએ અનિયતપણેજ કર્યું. આ ચાતુર્માસમાં E પ્રભુજીને ઘણા ઉપસર્ગો થયા તે પ્રભુએ સમભાવે સહન કર્યા. ત્યાંથી પ્રભુ કુર્મગ્રામે જતા હતા, માર્ગમાં ગોશાળાએ પ્રભુને એક તલના છોડ વિષે પૂછયું કે આ છોડ ફળશે કે નહીં ? સિદ્ધાર્થે 54 Soffitis) குகுகுகுகுகுகுகுக்கு Jein Education international For Personal Private Use Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy